'આપ' નેતા કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાશે?
ભાજપના ભૂતપૂર્વ નેતા અને હાલ આપમાં કાર્યરત એવા કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાય એવી શક્યતા છે.
રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીના એંધાણ વચ્ચે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાતાવરણ ગરમાયું છે. એક તરફ ભાજપની 15 દિવસ લાંબી ગૌરવ યાત્રા છે, બીજી તરફ કોંગ્રેસની ગુજરાત નવસર્જન યાત્રા છે. રાજ્યની ભાજપ સરકાર પણ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક નિર્ણયો લઇ રહી છે. એવામાં ભૂતપૂર્વ ભાજપ નેતા અને હાલ આમ આદમી પાર્ટીમાં કાર્યરત એવા કનુભાઇ કલસરિયા આપ પાર્ટી છોડે એવી સંભાવના છે. કનુભાઇ કલસરિયા વર્ષ 1997થી 2012 સુધી ભાજપમાં હતા, 2012માં ભાજપ છોડ્યા બાદ વર્ષ 2014માં તેઓ આપ પાર્ટીમાં જોડાયા હતા. હવે કહેવાઇ રહ્યું છે કે, તેઓ આપ પાર્ટી છોડી સદભાવના બેનર હેઠળ મહુવા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડશે.

વળી કનુભાઇએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. નોંધનીય છે કે, રાહુલ ગાંધી હાલ ચૂંટણી પ્રચાર સંદર્ભે નવસર્જન યાત્રા માટે ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન જ કનુભાઇએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. વળી તેમણે મુલાકાત બાદ જો કોંગ્રેસ તેમને ઓફર આપે તો કોંગ્રેસમાંથી પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી. હવે કનુભાઇ કલસારિયા ખરેખર કોંગ્રેસમાં જોડાય છે કે કેમ, એ જોવું રહ્યું.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
