Lok Sabha Election 2024 : AAP ધારાસભ્ય ભરૂચથી લડશે લોકસભાની ચૂંટણી, મનસુખ વસાવાને પડકારશે
Lok Sabha Election 2024: આગામી વર્ષ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ રાજકીય પાર્ટી અત્યારથી જ કરી રહી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભરતીય જનતા પાર્ટીએ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો. જ્યારે અન્ય કોઇ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.
આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડેડિયાપાડાથી AAP ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. ગુજરાતના રાજકારણ માટે આ સમાચાર ઘણા મહત્વના છે.

વસાવા આદિવાસી નેતા તરીકે ઉભરી રહ્યા છે - AAP ધારાસભ્ય ચૈતર વસાવા યુવા આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા છે. ડેડિયાપાડા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ચૈતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્નોને સતત સરકાર સમક્ષ ઉઠાવી રહ્યા છે. આ સાથે જ આદિવાસી નેતા મનસુખ વસાવા ભરૂચ બેઠક પર સતત જીત મેળવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં પણ તે આ બેઠક પર ભાજપને હરાવી શકી નથી.
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ સતત જીતી રહ્યું છે - BJP ભરૂચ લોકસભા બેઠક પર સતત જીત મેળવી રહી છે. 1951માં અહીં પહેલીવાર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટની જીત થઈ હતી. આ બેઠક 1989થી ભાજપ પાસે છે.
ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવાની લોકપ્રિયતા આદિવાસી સમાજમાં વધું છે. જેને ધ્યાનમાં રાખીને આગામી લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભાની બેઠક પર તેમની ટક્કર મનસુખ વસાવા સાથે થઈ શકે છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
