Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024 : AAP ધારાસભ્ય ભરૂચથી લડશે લોકસભાની ચૂંટણી, મનસુખ વસાવાને પડકારશે

Lok Sabha Election 2024: આગામી વર્ષ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ રાજકીય પાર્ટી અત્યારથી જ કરી રહી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભરતીય જનતા પાર્ટીએ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો. જ્યારે અન્ય કોઇ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.

આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડેડિયાપાડાથી AAP ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. ગુજરાતના રાજકારણ માટે આ સમાચાર ઘણા મહત્વના છે.

chaitar vasava

વસાવા આદિવાસી નેતા તરીકે ઉભરી રહ્યા છે - AAP ધારાસભ્ય ચૈતર વસાવા યુવા આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા છે. ડેડિયાપાડા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ચૈતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્નોને સતત સરકાર સમક્ષ ઉઠાવી રહ્યા છે. આ સાથે જ આદિવાસી નેતા મનસુખ વસાવા ભરૂચ બેઠક પર સતત જીત મેળવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં પણ તે આ બેઠક પર ભાજપને હરાવી શકી નથી.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ સતત જીતી રહ્યું છે - BJP ભરૂચ લોકસભા બેઠક પર સતત જીત મેળવી રહી છે. 1951માં અહીં પહેલીવાર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટની જીત થઈ હતી. આ બેઠક 1989થી ભાજપ પાસે છે.

ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવાની લોકપ્રિયતા આદિવાસી સમાજમાં વધું છે. જેને ધ્યાનમાં રાખીને આગામી લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભાની બેઠક પર તેમની ટક્કર મનસુખ વસાવા સાથે થઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X