નડિયાદ પાસે અકસ્માતમાં 11નાં મોત, મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

gujarat-accident
ગાંધીનગર, 16 ઑગસ્ટઃ શુક્રવારે સવારે નવ વાગ્યાના અરસાની આસપાસ નડિયાદ-મહેમદાવાદ રોડ પર અંધજ ગામ પાસે એક એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે ચારને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને થતાં તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે અને અકસ્માતમાં ભોગ બનાનારાઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર થકી કહ્યું છે કે, આ એક દુઃખદ પળ છે અને ભોગ બનાનારાઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ છે, અધિકારીઓને તત્કાળ મદદ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

અકસ્માત અંગે મળેલી માહિતી અનુસાર એસટી બસ પાવાગઢ-અમદાવાદ રૂટની હતી, જ્યારે રિક્ષા ખાત્રજ ચોકડી તરફથી 15 જેટલા મુસાફરોને બેસાડીને નડિયાદ તરફ જઇ રહી હતી બનાવના પગલે અમદાવાદ-નડિયાદ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. ગંભીર રીતે ઇજા પામનારાઓને નડિયાદની સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન બેનું મોત નીપજ્યું હતું. જ્યારે અને ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. નડિયાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X