ભારતનો કોલસો કાળો અને વિદેશનો કોલસો રુપાળો ? : કોંગ્રેસ
ભારતનો કોલસો કાળો અને વિદેશનો કોલસો રુપાળો ? : કોંગ્રેસ
કેન્દ્ર દ્વારા રાજયોની તમામ સરકારોને વિજળી ઉત્પાદનના થર્મલ પાવર સ્ટેશનોને માટે કોલ ઇન્ડીયા કંપની ૩૦૦૦ રૂપિયા પ્રતિ ટન કોલસાનો પુરવઠો પુરો પાડે છે, અને તેને લઈને દેશની જનતાને સસ્તી વિજળી મળી રહી છે. આવા સમયે અચાનક દેશમા એવી વાતો બહાર આવી કે દેશમા કોલસાની તંગી વરતાઈ રહી છે, અને વિજળી ઉત્પાદન માટે કોલસો હવે વિદેશથી મોંધા ભાવે આયાત કરવો પડશે. કોણે આવી અફવા ફેલાવી હતી ? અને અફવાથી કોને ફાયદો ?

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારના ઉર્જા મંત્રીઓની મિટીંગ બોલાવી તેમને હુકમ કરેલ કે તમારી જરુરીયાતનો ૧૦ % કોલસાનો જથ્થો વિદેશથી એટલે કે અદાણી કંપની પાસેથી ફરજીયાત મંગાવવાનો રહે છે. અને નહી મંગાવો તો કોલ ઇન્ડીયાનો કોલસો બંધ કરી દેવામા આવશે.
કેન્દ્ર સરકારે ૨૮ મે ૨૦૨૨ ના રોજ આદેશ કર્યો કે, કોલ ઇન્ડીયા વિદેશથી કોલસો આયાત કરશે અને રાજયોને કોલ ઇન્ડીયા લીમિટેડ સપ્લાય કરશે. કોલસાનો ઓર્ડર અદાણી એન્ટરપ્રાઈસને મળ્યો અને તેનો ભાવ ૧૭૦૦૦ રૂપિયા નક્કી કરાયો છે.
જનતાને મોંઘી વિજળીનો ભાર આપવાનો આ એક કારસો છે, જેનો અનુભવ દેશની રાજ્ય સરકારો અને જનતાને થઈ ગયો છે. અને એ પણ સ્પષ્ટ થઈ ગયુ કે વર્ષ પહેલા દેશમા કોલસાની કૃત્રિમ તંગીની અફવાનો ફેલાવવાનુ કારસ્તાન કોનુ હતુ. પરંતુ વાસ્તવિકતા એ છે કે કોલસાની તંગીની આ દેશમા ન હતી કે ન છે, કોલસાનુ ઉત્પાદન જુન ૨૦૨૨ મા ૩૨.૫૭ % વધ્યુ છે. એટલે દેશમા કોલસાની કૃત્રિમ તંગીની અફવા એ ષડયંત્ર હોવાનું કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતું. નજીકના સમયમા વિજળીમા પ્રતિ યુનિટ ૧ થી ૨ રુપિયાનો વધારો થવાની શક્યતા છે.
દેશના તમામ રાજયોને ભારત સરકારની કંપની જે કોલ ઇન્ડીયા સસ્તો કોલસો નહી પરંતુ અદાણીનો મોંઘો કોલસો ખરીદવાનુ ફરજીયાત બનશે. કેન્દ્ર સરકાર જવાબ આપે શુ કોલ ઇન્ડીયાનો કોલસો કાળો અને અદાણીનો કોલસો રુપાળો છે ?
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી











Click it and Unblock the Notifications
