દાયકા બાદ રથયાત્રાના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ
અમદાવાદ, 4 જુલાય : પુરી તથા અમદાવાદ સહિત સમગ્ર દેશમાં અષાઢી બીજનો અનેરો મહિમા છે. આ દિવસ એમ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે જાણીતો છે, પરંતુ આ દિવસે લોકો શુભ કાર્યો જેમ કે મકાન ખરીદવું, મહુરત કરવું, નવા વાહનો ખરીદવા આદિ પણ કરે છે. આ વર્ષે અષાઢી બીજ 10મી જુલાઈના રોજ છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ વર્ષે અષાઢી બીજે પુષ્ય નક્ષત્ર છે અને એક દાયકા બાદ આવો સુભગ સંયોગ થયો છે.
એક દાયકા બાદ ભાગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં નીકળશે. અમદાવાદ સહિત ઓડિશાના પુરીમાં રથયાત્રા આ વખતે 10 જુલાઇના રોજ નીકળશે. આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં નીકળનાર આ રથયાત્રાને ભક્તો માટે વિશેષ લાભકારી માનવામાં આવી રહી છે, અને તેને જ્યોતિષિય દ્રષ્ટિએ પણ
ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે પુષ્ય નક્ષત્રમાં નીકળવાની છે. આ નક્ષત્ર 9 જુલાઇથી સવારે 10.20 વાગ્યે શરૂ થઇને 10 જુલાઇના રોજ દિવસભર રહેશે. જ્યોતિષિય ગણના અનુસાર પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જ્યારે પં. મનોજ શર્માએ વીએનએસને જણાવ્યું કે પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ દેવ છે. આ દિવસે ભગવાન જગન્નાથની સાથે ભગવાન શનિની આરાધનાથી વિશેષ લાભ મળશે. આ ખાસ દિવસની ભક્તોમાં પણ ભારે ઇંતેજારી છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
