દાયકા બાદ રથયાત્રાના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ
અમદાવાદ, 4 જુલાય : પુરી તથા અમદાવાદ સહિત સમગ્ર દેશમાં અષાઢી બીજનો અનેરો મહિમા છે. આ દિવસ એમ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે જાણીતો છે, પરંતુ આ દિવસે લોકો શુભ કાર્યો જેમ કે મકાન ખરીદવું, મહુરત કરવું, નવા વાહનો ખરીદવા આદિ પણ કરે છે. આ વર્ષે અષાઢી બીજ 10મી જુલાઈના રોજ છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ વર્ષે અષાઢી બીજે પુષ્ય નક્ષત્ર છે અને એક દાયકા બાદ આવો સુભગ સંયોગ થયો છે.
એક
દાયકા
બાદ
ભાગવાન
જગન્નાથની
રથયાત્રા
આ
વર્ષે
પુષ્ય
નક્ષત્રમાં
નીકળશે.
અમદાવાદ
સહિત
ઓડિશાના
પુરીમાં
રથયાત્રા
આ
વખતે
10
જુલાઇના
રોજ
નીકળશે.
આ
વર્ષે
પુષ્ય
નક્ષત્રમાં
નીકળનાર
આ
રથયાત્રાને
ભક્તો
માટે
વિશેષ
લાભકારી
માનવામાં
આવી
રહી
છે,
અને
તેને
જ્યોતિષિય
દ્રષ્ટિએ
પણ
ખાસ
મહત્વપૂર્ણ
માનવામાં
આવે
છે.
ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે પુષ્ય નક્ષત્રમાં નીકળવાની છે. આ નક્ષત્ર 9 જુલાઇથી સવારે 10.20 વાગ્યે શરૂ થઇને 10 જુલાઇના રોજ દિવસભર રહેશે. જ્યોતિષિય ગણના અનુસાર પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જ્યારે પં. મનોજ શર્માએ વીએનએસને જણાવ્યું કે પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ દેવ છે. આ દિવસે ભગવાન જગન્નાથની સાથે ભગવાન શનિની આરાધનાથી વિશેષ લાભ મળશે. આ ખાસ દિવસની ભક્તોમાં પણ ભારે ઇંતેજારી છે.