તુર્કીમાં કહેર બાદ ગુજરાતમાં આવ્યા ભૂકંપના ઝટકા, જાણો કઇ જગ્યાએ ધ્રુજી ધરતી
ગુજરાતમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે આમાં કોઈ નુકસાન થયું ન હતું.
હાલમાં જ તુર્કીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 24 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. લોકો હજુ આ ઘટનાને ભૂલી શક્યા નથી કે શનિવારે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે તેની તીવ્રતા વધારે ન હતી, પરંતુ કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. ભૂકંપના આંચકા બાદ લાંબા સમય સુધી લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, શનિવારે ગુજરાતના સુરત જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 હતી. ભૂકંપનું કેન્દ્ર સુરતથી લગભગ 27 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW)માં હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. હાલમાં જ તુર્કીમાં એક મોટી ઘટના બની, આવી સ્થિતિમાં થોડા સમય માટે લોકો ડરી ગયા હતા, પરંતુ પછી બધા શાંત થઈ ગયા.

રાજ્યમાં અનેક વખત મોટા ભૂકંપ આવ્યા
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અનુસાર, રાજ્યમાં ધરતીકંપનું જોખમ વધારે છે. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને 2001માં મુખ્ય ઘટનાઓ જોવા મળી હતી. ગુજરાતમાં 2001નો કચ્છ ભૂકંપ એટલો ખતરનાક હતો કે તેમાં 13,800થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

ભૂકંપના સમયે ના કરો આ ભૂલ
કોઈપણ ઈમારતની નીચે ઊભા ન રહો.
વૃક્ષો અથવા કોઈપણ નિર્માણાધીન ઈમારતની નજીક ન જશો.
બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માટે લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો.
જો તમે બાઈક પર જઈ રહ્યા હોવ તો તરત જ તેને રોકો અને સુરક્ષિત જગ્યાએ ઉભા રહો.

તુર્કીમાં સડવા લાગ્યા મૃતદેહ
તમને જણાવી દઈએ કે સોમવારે સવારે તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો હતો. જે બાદ કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. શનિવારે સવાર સુધીમાં મૃત્યુઆંક 24 હજારને પાર કરી ગયો હતો. સાથે જ આટલો સમય વીતી જવાના કારણે કાટમાળમાં દટાયેલા મૃતદેહો સડવા લાગ્યા છે.












Click it and Unblock the Notifications
