અફઝલ ગુરૂની ફાંસી પર મોદીએ કહ્યું 'દેર આયે દુરસ્ત આયે'

આ ઉપરાંત ભાજપે સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરૂને શનિવારે સવારે ફાંસી આપવાના નિર્ણયને સ્વાગત કરતાં કહ્યું હતું કે આ અંગે નિર્ણય લેવામાં મોડું કર્યું છે પણ એક યોગ્ય પગલું ભર્યું છે. ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રેડ્ડીએ કહ્યું હતું કે 'આ નિર્ણયનો સ્વાગત કરીએ છીએ. જો કે મોડું કરવામાં આવ્યું છે પરંતુ યોગ્ય પગલું ભર્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી દ્રારા સંસદ પર હુમલાના આરોપી અફઝલ ગુરૂની દયાની અરજીને નકારી કાઢવામાં આવતાં તેને શનિવારે સવારે ફાંસી આપવામાં આવી હતી. ગૃહમંત્રી આર કે સિંહએ પત્રકારોને કહ્યું હતું કે સવારે આઠ વાગે ફાંસી આપી દેવામાં આવી છે. અફઝલ ગુરૂને ન્યાયાલયને 2005માં ફાંસીની સંભળાવી હતી. ગૃહમંત્રી આર કે સિંહે પત્રકારોને કહ્યું હતું કે અફજલ ગુરૂને સવારે આઠ વાગે ફાંસી આપવામાં આવી છે. અફઝલ ગુરૂને ઓક્ટોબર 2006માં ફાંસી આપવાની હતી પરંતુ તેની પત્ની દ્રારા દયાની અરજી દાખલ કરવામાં આવતાં તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર થયેલા હુમલામાં અફઝલ ગુરૂની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાના આરોપ સાબિત કરાયા હતા. સુપ્રિમ કોર્ટે તેને ફાંસી આપવાની સજા 2005માં નક્કી કરી દિધી હતી. શનિવારે સવારે અફઝલ ગુરૂને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી છે અને જેલના પરિસરમાં દફનાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
