ISISની લિંક મામલે અહેમદ પટેલે લખ્યો રાજનાથને પત્ર
આઇએસઆઇ મામલે અહેમદ પટેલે ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને જણાવ્યું છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ સાથે જ જાણો આ મામલે અહેમદ પટેલે બીજું શું કહયું.
કોંગ્રેસના સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર અહેમદ પટેલે તેમની પર લાગેલા આરોપો બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહને એક પત્ર લખ્યો છે. જે હેઠળ તેમણે આ મામલે નિપક્ષ તપાસ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાંથી ગુજરાત એટીએસ દ્વારા બે ISIS આતંકીઓ પકડાયા હતા. જેમાંથી એક આતંકી અહેમદ પટેલ જે હોસ્પિટલના ટ્રસ્ટી રહી ચૂક્યા છે ત્યાં કામ કરતો હતો. આ પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદિગ્ધ આંતકીઓને નોકરીએ રાખવા મામલે કોંગ્રેસ અને અહેમદ પટેલ પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરે તેવી માંગણી કરી હતી. જે બાદ અહેમદ પટેલે રાજનાથ સિંહને પત્ર લખ્યો હતો. અને જણાવ્યું હતું કે આ મામલે સવોચ્ચ અને નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. સાથે જ તેમણે કહ્યું કે આ મામલે રાજનીતિ રમાય તે યોગ્ય નથી. પોતાના ચૂંટણી ફાયદા માટે કોઇના પર આરોપ ન લગાવવો જોઇએ.

ભાજપના નેતા પર હુમલો કરતા તેમણે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ પર લાગેલા આરોપને કોઇ કાનૂની સંસ્થા કે કોર્ટ જ નક્કી કરી કરી શકે છે ના કે કોઇ રાજનૈતિક દળ. સાથે જ તેમણે કહ્યું કે આ મામલે જે પણ આરોપી હોય તેને કોઇ પણ ધર્મ સાથે જોડ્યા વગર સખતમાં સખ્ત સજા આપવી જોઇએ. સાથે જ આ પત્રમાં જ તેમણે ભાજપના રાજીનામાંની માંગ નકારી હતી. તેમણે કહ્યું કે 2015માં જ આ હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દીધું હતું. અને જે વ્યક્તિ ટેક્નિશિયન તરીકે અહીં જોડાયો છે તે ગત વર્ષ જ જોડાયો છે. અને વધુમાં તેની ધરપકડ પહેલા તેણે તેના પદ પરથી નીકાળી પણ દેવામાં આવ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
