CAAના વિરોધમાં અમદાવાદ સજ્જડ બંધ, રાજકોટમાં બંધની નહીવત અસર
CAAના વિરોધમાં અમદાવાદ સજ્જડ બંધ, રાજકોટમાં બંધની નહીવત અસર
નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં આજે દેશભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, દિલ્હી, ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે જ્યારે બેંગ્લોર સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં પણ 3 મુફ્તી, 4 મૌલાના સહિત 15 જેટલા મુસ્લિમ આગેવાનોએ નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં બંધનું એલાન કર્યું હતું. અમદાવાદમાં બંધની અસર જોવા મળી રહી છે. જમાલપુર, જુહાપુરા, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે.

અમદાવાદમાં લોકો વિરોધ કરવા બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે જેને પગલે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો. હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયો છે. લાલ દરવાજા પાસે લાઠીચાર્જ થયો હોવાની પણ માહિતી મળી છે. બીજી તરફ ગોધરાના મુસ્લિમ વિસ્તારોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે.
જો કે સૌરાષ્ટ્રમાં બંધની અસર બિલકુલ નથી દેખઆઈ રહી. જૂનાગઢ, અમરેલી, જામનગર, દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં સવારથી જ માર્કેટ ખુલ્લી જોવા મળી રહી છે અને વેપારને પણ કોઈ અસર પહોંચી નથી. જો કે રાજકોટના જંગલેશ્વર, ભીસ્તિવાડ, નેહરુનગર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ અને સુરતમાં પણ બંધની અસર નહીવત દેખાઈ રહી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
