For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAAના વિરોધમાં અમદાવાદ સજ્જડ બંધ, રાજકોટમાં બંધની નહીવત અસર

CAAના વિરોધમાં અમદાવાદ સજ્જડ બંધ, રાજકોટમાં બંધની નહીવત અસર

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં આજે દેશભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, દિલ્હી, ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે જ્યારે બેંગ્લોર સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં પણ 3 મુફ્તી, 4 મૌલાના સહિત 15 જેટલા મુસ્લિમ આગેવાનોએ નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં બંધનું એલાન કર્યું હતું. અમદાવાદમાં બંધની અસર જોવા મળી રહી છે. જમાલપુર, જુહાપુરા, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે.

ahmedabad

અમદાવાદમાં લોકો વિરોધ કરવા બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે જેને પગલે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો. હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયો છે. લાલ દરવાજા પાસે લાઠીચાર્જ થયો હોવાની પણ માહિતી મળી છે. બીજી તરફ ગોધરાના મુસ્લિમ વિસ્તારોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે.

જો કે સૌરાષ્ટ્રમાં બંધની અસર બિલકુલ નથી દેખઆઈ રહી. જૂનાગઢ, અમરેલી, જામનગર, દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં સવારથી જ માર્કેટ ખુલ્લી જોવા મળી રહી છે અને વેપારને પણ કોઈ અસર પહોંચી નથી. જો કે રાજકોટના જંગલેશ્વર, ભીસ્તિવાડ, નેહરુનગર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ અને સુરતમાં પણ બંધની અસર નહીવત દેખાઈ રહી છે.

CAA Protest: લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ, 15 મેટ્રો સ્ટેશન બંધCAA Protest: લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ, 15 મેટ્રો સ્ટેશન બંધ

English summary
Ahmedabad bandh over Citizenship Amendment act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X