અમદાવાદઃ પરિવાર પર ગુંડાઓએ હુમલો કર્યો, 20 દિવસની નવજાત બાળકીનું મોત
અમદાવાદઃ પરિવાર પર ગુંડાઓએ હુમલો કર્યો, 20 દિવસની નવજાત બાળકીનું મોત
અમદાવાદઃ અમદાવાના મેઘાણીનગર વિસ્તારમાં માનવતાને પણ શરમમાં મૂકે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. કેટલાક નીચ ગુંડાઓએ મેઘાણીનગરમાં રહેતા એક પરિવાર પર લાકડીથી હુમલો કર્યો હતો. આરોપીઓએ 20 દિવસની નવજાત માસૂમ બાળકીને પણ ન છોડી. નિર્દય ગુંડાઓએ ઘરમાં ઘૂસી 20 દિવસની બાળકીની હત્યા કરી.
ઈન્સ્પેક્ટર પીજી સરવૈયાએ જણાવ્યા મુજબ લાકડી લઈ પાંચ શખ્સો ગુરુવારે રાત્રે લક્ષ્મી પટ્ટનીના ઘરમાં ઘૂસ્યા હતા. આરોપીઓએ જૂઠ્ઠાણું અને જૂની દુશ્મનાવટને પગલે ઘરમાં રહેતી ત્રણ મહિલાને લાકડીથી માર માર્યો હતો, એટલું જ નહિ આરોપીઓએ લક્ષ્મીની 20 દિવસની દીકરી ખુશ્બુના માથા પર પણ લાકડી મારી હતી, જેને પગલે માસૂમ બાળકી મૃત્યુ પામી.
જ્યારે આ ઘટનામાં લક્ષ્મી અને તેની બહેન ઈજાગ્રસ્ત થઈ હતી. શુક્રવારે પોલીસે સતિશ પટ્ટની અને હિતેશ મારવાડી નામના બે હત્યારાઓની હત્યા અને દહેશત ફેલાવવાના ગુના હેઠળ ધરપકડ કરી લીધી છે. ડેપ્યૂટી કમિશ્નર ઑફ પોલીસ નિરજ બડગુજરે જણાવ્યા મુજબ બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
ઈન્સપેક્ટર પીજી સરવૈયાએ કહ્યું કે, પકડાયેલા બંને આરોપીઓ સ્થાનિક ગુંડા છે અને અસામાજીક પ્રવૃત્તિ માટે બંને જાણીતા છે, જેમાંથી સતિશ પટ્ટની પર હુમલા સહિતના 10 જેટલા ગુના નોંધાયેલ છે અને હિતેશ મારવાડી પર પણ આવા જ ગુના પહેલેથી જ નોંધાયેલ છે.
અંબાજી પાસે જીપનો ગોઝારો અકસ્માત, 9 લોકોનાં મોત