Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદના જુહાપુરામાં પકડાયું 6 કિલો ચરસ, કિંમત 35 લાખ

અમદાવાદના જુહાપુરામાંથી નાર્કોટિક્સ વિભાગે 6 કિલો ચરસ સાથે બે લોકોની પકડ્યા. નોંધનીય છે કે આ ચરસ કાશ્મીરથી લાવવામાં આવ્યું હતું. ત્યારે જાણો આ ખબર વિષે વધુ અહીં.

અમદાવાદ નરકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારી ઓએ ગત મોડી રાત્રે બાતમીના આધારે જુહાપુરા માંથી બે સ્થાનિક લોકોને રૂપિયા 35 લાખની કિંમતના 6 કિલો ચરસ ના સાથે ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ચરસનો જથ્થો કશ્મીરથી લાવ્યો હતા. નારકોટિક્સ અમદાવાદના ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ જણાવ્યું કે અમને બાતમી મળી હતી કે આબિડ શેખ અને ઇન્તેકામ આલમ નામના બન્ને શખ્સો જુહાપુરા રોડ પરથી આ નશાનો સામાન સ્પલાય કરી રહ્યા છે. આ બાતમીના આધારે આ બંન્નેને પોલીસે ઝડપી લીધા છે. આ લોકો આ જથ્થો સ્થાનિક બાઝરમાં સપ્લાય કરવાના હતા.

drug delars

નોંધનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું. આ અગાઉ પણ બન્ને ઇસમોની ડ્રગ્સની હેરાફેરી કરી હોવાની શકયતા પણ તપાસવામાં આવી રહી છે. એનસીબી એ આ અંગે એનડીપીસેસ એક્ટ ની કલમ 8 (ક),20 (બી),25 અને 29 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે કાશ્મીરથી આવેલા આ ચરસના તાર આતંકવાદ અને પાકિસ્તાન સાથે પણ જોડાયેલા હોઇ શકે છે. જો કે આ મામલે પોલીસે હાથ વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે આમ પણ સધન તપાસ કરવામાં આવે છે તેમ છતાં કેવી રીતે આ જથ્થો કાશ્મીરથી અમદાવાદ સરળતાથી પહોંચી ગયો તે અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X