અ'વાદની શરમજનક ઘટના, ડોક્ટરે 2 બાળકોને 8 લાખમાં વેચી દીધા

અમદાવાદમાં સરસપૂર ખાતે આવેલી મેટરનીટી જનરલ હોસ્પીટલના ડો. ભરત અતીત સામે તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાંચને ચોંકાવનારી માહિતી મળી છે કે ડો. અતીતે પોરબંદરના એક દંપતિને બે બાળકો 8 લાખ રૂપિયામાં વેચી દીધા છે. અને તેના માટે તેમણે ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા છે. જોકે આ અંગે ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે.
ડો. અતીતની સામે ઘાટલોડિયાની એક સેરોગેટ મધરના બાળકને વેચી દેવાના મામલે તપાસ ચાલી રહી હતી. દરમિયાનમાં બે બાળકો 4-4 લાખમાં વેચી દીધાની માહિતી બહાર આવી છે. જોકે બીજા બાળકની સેરોગેટ મધર કોણ હતું તેની પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેની માહિતી મળતા જ અને ખોટા દસ્તાવેજ બનાવવા બદલ ડો. અતીત સામે અન્ય ફરિયાદ પણ દાખલ થઇ જશે.
ઘાટલોડિયાની મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસે તેમની સામે માનવ તસ્કરીનો ગૂનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ડો. અતીતે ધરપકડ થવાની બીકે આગોતરા જામીન અરજી કરી હતી જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. બાદમાં ડો. અતીતે હાઇકોર્ટનો સહારો લીધો હતો, જ્યા હાઇકાર્ટે તેમને તપાસમાં સહકાર આપવા અને હાજર રહેવા આદેશ આપ્યો છે.
ડોક્ટર દ્વારા બાળકોને વેચી દેવાનો શરમજનક કિસ્સો દેશમાં પહેલીવાર સામે આવ્યો છે. આ ઘટનામાં જેટલા લોકોનો પણ હાથ હશે તે તમામની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે. તેમજ સેરોગેટ મધર કેસમાં એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
