Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અ'વાદની શરમજનક ઘટના, ડોક્ટરે 2 બાળકોને 8 લાખમાં વેચી દીધા

baby
અમદાવાદ, 1 ફેબ્રુઆરી: ડોક્ટરને આપણે ભગવાનું બીજું રૂપ ગણતા હોઇએ છીએ અને આપણે તેમને એ પ્રકારનું જ માન સમ્માન આપતા હોઇએ છીએ, પરંતુ જ્યારે આ ભગવાન જ રાક્ષસ જેવું કામ કરે ત્યારે શું કરવું? ડોક્ટરો પ્રત્યેની લાગણી બદલી નાખે એવી ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના ડો. અતિતે બે બાળકોને 8 લાખ રૂપિયામાં પોરબંદરના એક દંપતિને વેચી દીધાની માહિતી બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદમાં સરસપૂર ખાતે આવેલી મેટરનીટી જનરલ હોસ્પીટલના ડો. ભરત અતીત સામે તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાંચને ચોંકાવનારી માહિતી મળી છે કે ડો. અતીતે પોરબંદરના એક દંપતિને બે બાળકો 8 લાખ રૂપિયામાં વેચી દીધા છે. અને તેના માટે તેમણે ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા છે. જોકે આ અંગે ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે.

ડો. અતીતની સામે ઘાટલોડિયાની એક સેરોગેટ મધરના બાળકને વેચી દેવાના મામલે તપાસ ચાલી રહી હતી. દરમિયાનમાં બે બાળકો 4-4 લાખમાં વેચી દીધાની માહિતી બહાર આવી છે. જોકે બીજા બાળકની સેરોગેટ મધર કોણ હતું તેની પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેની માહિતી મળતા જ અને ખોટા દસ્તાવેજ બનાવવા બદલ ડો. અતીત સામે અન્ય ફરિયાદ પણ દાખલ થઇ જશે.

ઘાટલોડિયાની મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસે તેમની સામે માનવ તસ્કરીનો ગૂનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ડો. અતીતે ધરપકડ થવાની બીકે આગોતરા જામીન અરજી કરી હતી જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. બાદમાં ડો. અતીતે હાઇકોર્ટનો સહારો લીધો હતો, જ્યા હાઇકાર્ટે તેમને તપાસમાં સહકાર આપવા અને હાજર રહેવા આદેશ આપ્યો છે.

ડોક્ટર દ્વારા બાળકોને વેચી દેવાનો શરમજનક કિસ્સો દેશમાં પહેલીવાર સામે આવ્યો છે. આ ઘટનામાં જેટલા લોકોનો પણ હાથ હશે તે તમામની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે. તેમજ સેરોગેટ મધર કેસમાં એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X