લોકસભાની ચૂંટણી લડશે AIMIM, આ બેઠકો પર ઉતારશે ઉમેદવાર
Lok Sabha election 2024: 2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, તમામ રાજકીય પક્ષો રાજ્યમાં પોતપોતાના ઉમેદવારોના નામ સાથે તૈયારી કરી રહ્યા છે.
શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 26 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) INDI એલાયન્સના ભાગ રૂપે ચૂંટણી લડી રહ્યા છે.
આ ઉપરાંત ગુજરાતની બે બેઠકો પર અન્ય એક રાજકીય પક્ષ મેદાનમાં ઉતર્યો છે. અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) હવે ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે.

AIMIMના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી ગુજરાતમાં ભરૂચ અને ગાંધીનગર એમ બે બેઠકો પર ચૂંટણી લડશે. ભરૂચ બેઠક પર, INDI એલાયન્સે AAP ના ચૈતર વસાવાને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જેઓ વર્તમાન સાંસદ પણ છે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, અને કોંગ્રેસે આ બેઠક માટે સોનલ પટેલનું નામ જાહેર કર્યું છે.












Click it and Unblock the Notifications
