અજીત પવારના મોત બાદ શરદ પવારની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બુધવારે બારામતીમાં એક વિમાન અકસ્માતમાં નિધન થયું છે.
ચૂંટણી પ્રચાર માટે જઈ રહેલું પાંચ સીટો ધરાવતું ખાનગી ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થતા અજીત પવાર સહિત તેમાં સવાર તમામ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે.

આ ભયાનક દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર પવાર પરિવાર અને મહારાષ્ટ્રના રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પુત્ર સમાન ભત્રીજાના નિધનના સમાચાર સાંભળીને શરદ પવાર તાત્કાલિક બારામતી પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં જઈ અજીત પવારના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા.
શરદ પવાર અજીત પવારના પાર્થિવ દેહને જોઈને અત્યંત ભાવુક બન્યા હતા અને તેમના ચહેરા પર પોતાના વહાલા ભત્રીજાને ખોવાનું ઊંડું દુઃખ સ્પષ્ટપણે દેખાતું હતું.
આ કરૂણ ઘટના પર પ્રતિક્રિયા આપતા શરદ પવારે જણાવ્યું કે, આ એક અત્યંત દુખદ અકસ્માત છે અને આ નુકસાનની ભરપાઈ કોઈ પણ રીતે શક્ય નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે આ દુર્ઘટનાથી રાજ્યને મોટી ખોટ પડી છે અને આ માત્ર એક અકસ્માત છે, આમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ જોવું જોઈએ નહીં.












Click it and Unblock the Notifications
