ગુજરાતમાં આજથી ખુલી જશે તમામ સરકારી ઓફીસ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની કામગીરી પણ થશે ચાલુ
દેશભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેરે દેશભરમાં ભારે અસર કરી હતી. હાલ કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પગલે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં સરકાર ઓફીસો, શૈક્ષણિક સંસ્થાઓ અ
દેશભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેરે દેશભરમાં ભારે અસર કરી હતી. હાલ કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પગલે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં સરકાર ઓફીસો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટને ગાઇડલાઇન અનુસાર કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં આજથી રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્ય સરકારની કચેરીઓ તથા કોર્ટમાં ચોક્કસ નિયમોના આધારે કામગીરી શરૂ થશે. રાજ્યની સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખી નવા સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. ઉનાળું વેકેશન પુરુ થયા બાદ સોમવારથી શાળાઓ ખુલી જશે. શાળાઓમાં શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓએ આજથી 100 ટકા હાજરી સાથે આવવાનું રહેશે. આજથી તમામ શાળાઓમાં ધોરણ 1 થી 9 ની પ્રવેશ કામગીરીનો પણ પ્રારંભ થશે.
હાઇકોર્ટની કામગીરી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જ્યારે નીચલી બધી જ અદાલતોમાં પ્રત્યક્ષ હાજરી સાથે કામગીરી આજથી શરૂ થશે. અદાલતના પરિપત્ર મુજબ રાજ્યમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાયની બધી જ નીચલી અદાલતોમાં આજે સવાર 10:45 થી સાંજના 6 વાગ્યા સુધી કામકાજ થશે. માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલી અદાલતો વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યરત રહેશે. જોકે તમામ અદાલતોમાં પ્રવેશ શક્ય હોય ત્યાં સુધી એક જ દ્વારથી આપવાનો રહેશે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
