મંદિરના વિહવટમાં ભાજપ સરકાર હસ્તક ગેર વહિવટ થતો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
અંબાજીમાં મોહનતાળના પ્રસાદ બંધ કરી દેવામાં આવતા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોગ્રેસે ભાજપસ રકાર પર પ્રસાદને બધ કરવાને લઇને નિશાન સાધયુ હતુ
અંબાજીમાં આપવામાં આવતા પ્રસાદને લઇને વિવાદ વધી રહ્યો છે. અંબાજી મંદિરનુ સંચાલન જિલ્લા કલેક્ટર હસ્તક છે ત્યારે તે વીઆઇપીની સરભરામાં લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોવાનો આક્ષેપ કોગ્રેસ દ્વારા કરવામાં આવોય છે. તેમજ પ્રસાદની કિમતામં 10 રૂપિયાથી સિધો 25 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આમ 150 ટકાનો વધારો પ્રસાદમાં ભાજપની સરકારે કર્યો છે.

કોગ્રેસે ભાજપની સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં અંબાજી મંદીર લાકો કરોડો ભક્તોની આસ્થાનુ એક પવિત્ર સ્થન છે. આ મંદિરોનો વહિવટ ગુજરાત સરકાર હસ્તક છે. એજ પ્રમાણે ગુજરાતના પ્રતિષ્ઠિત જુદા જુદા મંદિરોનો વહિવટ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. મંદિરોના દેવસ્થાન ટ્રસ્ટો વારંવાર ગેરરીત કરી રહ્યા છે. અધિકારીઓ દ્વારા મનસ્વી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
અંબાજી મંદિરમાં પ્રસાદની કિમાં 150 ટકાનો તોતીગ ભાવ વધારો મોધવારીનું બહાનુ કરીને વસુલવામાં આવ્યો છે. જે મોહનથાળ પ્રસાદનુ પકેટ 10 રૂપિયામાં મળતુ હતુ તેના રપ ક્રમશ 18 અે ત્યાર બાદ અત્યારે25 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ સાથે ચીકીનો પ્રસાદ પણ વેચવાનુ શરુ કરવામાં આવ્યુ હતુ. એક તરફ વસ કરોડ મહનથાળ પ્રસાદ વેચાય અને બીજી તરફ એક દોઠ કરોડની ચીકી પ્રસાદ વેચાતો તો. તેને કરોડો ભક્તોની આસ્થા અને સમાન મહોનથાળ પ્રસાદ વેચવાનું બંધ કરી દેવામાં આવ્યુ હતુ. ચીકીના પ્રસાદમાં કમાણી વધારે થતિ હોવાથી મદિરમાં ચીકીનો પ્રાસદ આપવાનુ શરુ કરવામા આવ્યુ હોવાનો આક્ષેપ કોગ્રેસે કર્યે છો.
મંદિરમાં જે ચીકી 25 રૂપિયામાં આપવામાં આવે છે તે બજારમાં બે રૂપિાયમાં અને 5 રૂપિયામાં બ્રાંડેડ મળે છે. અને બહાર ટ્રન્સપોર્ટેશન અને જીએસટીના ખર્ચનો પણ સમાવેશ થયેલો હયો છે.
અંબાજી દેવસ્થાન ટ્ર્સ્ટ દ્વારા ભક્તોના દાનના નાણા છેલ્લા 11 વર્ષમાં 21 લાખથી વધારે વીઆઇપી મહેમાનોના મંત્રીઓ, અધિકારીઓ, મંત્રીઓના સગાઓ, અધિકારીઓના સગાઓ સંબંધિઓની ખાવા પીવાની સરભરા માટે વાપરી નાખવામાં આવ્યો છે. જેની માહિતી આરટીઆઇ હેઠળ આપવામાં આવી છે.
કો્ગ્રેસના પ્રદેશ સમિતિના કન્વીનરે હેમાંગ રાવલે જણાવ્યુ હતુ કે, બહુચરાજી મંદિરની 56 ફુટઉંચા મંદિર બનાવવાના કરોડ ખર્ચાયા પછી ખબર પડી કે મંદિરની તો 49 ફુટ જ ઉચુ બન્યુ છે. અધિકારીઓ અને સત્તાધિશોની અણઆવડત અને અણસમજ છતી થઇ જેના કારણે મંદિર ઉપર વધુ 3 કરોડનો બોજો આવ્યો હતો.












Click it and Unblock the Notifications
