Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત ચૂંટણી: અમિતશાહ નારણપુરાથી ચૂંટણી લડશે

amit-shah
અમદાવાદ, 29 નવેમ્બર: અંતે તે જ થયું જેની અપેક્ષા હતી, નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવતા અને સોહરાબુદ્દિન કેસમાં પોતાની છબિ પર દાગ ધરાવતા અમિત શાહને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ અમિત શાહને નારણપુરા સીટ પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહે 2002 અને 2007માં અમદાબાદના સરખેજ વિધાનસભા સીટ પર ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવતાં અને પૂર્વ ગૃહમંત્રી તરીકે રહી ચૂકેલા અમિત શાહે કહ્યું હતું કે ભાજપના નિર્ણય પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉટર કેસમાં ફસાયેલા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ કેસમાં આર્શ્વયજનક ચૂકાદા આવ્યાં છે. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહની જમાનત સુપ્રિમ કોર્ટે યથાવત રાખી છે પરંતુ આ કેસને મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉટર અને કૌસરબીની હત્યાના કેસમાં સીબીઆઇએ અમિત શાહ સહિત 15 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરેલા આરોપપત્રમાં હત્યા, હત્યા માટે અપહરણ, અપરાધનું ષડયંત્ર, પૂરાવા નષ્ટ કરવા અને વસૂલી કરવાના આરોપો લગાવવામાં આવ્યાં છે.

નરેન્દ્ર મોદી હંમેશા અમિત શાહને નિર્દોષ ગણાવ્યાં છે અને થોડા દિવસો પહેલાં તે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં સામેલ થયા હતા જ્યાં તેમનું ચીફ ગેસ્ટની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X