પહેલા તબ્કકાના ચૂંટણીના ઉમેદવારો માટે અમિત શાહ કરશે પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના ઉમેદવરોના ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજેથી ગુજરતમાં પ્રવાસ કરીને ભાજપના ઉમેદવારો માટે મત માંગશે. અમિત શાહ તાપીના નિઝારમાં અન નર્મદાના ડેડિયાપાડા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના ઉમેદવરોના ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજેથી ગુજરતમાં પ્રવાસ કરીને ભાજપના ઉમેદવારો માટે મત માંગશે. અમિત શાહ તાપીના નિઝારમાં અન નર્મદાના ડેડિયાપાડામાં સભાને સંબોધન કરશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે તે પહેલા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સમગ્ર રાષ્ટ્રીય ટીમને મદાનમં ઉતારી દિધી છે.
અમિત શાહ 21 નવેમ્બરા રોજ પણ ગુજરાતમાં ચાર સ્થળોએ સભાને સંબોધન કરશે. આજે બપોરે 3 વાગ્યે તાપી જિલ્લાના નિઝઆરમાં સભાને સંબોધન કરશે જ્યાં તે વિધાનસભાનાી બેઠકો માટે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર રશે. ત્યાર બાદ4 વાગ્ય અમિત શાહ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ચૂંટણી સભાને સંધોધન કરશે ત્યાં વડોદરા અને નર્મદા જિલ્લાની લાગુ પડતી વિધાનસભા બેઠકોના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે .
21 નવેમ્બરના રોજ અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસ કરશે. જેમા ચાર ચૂંટણી સભાઓનો ગજવશે. જેમા ખંભાળિયા, કોડિનાર, રાજુલા, ભૂજમાં સભાને સંબોધન કરશે. બીજી તરફ પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. બંને ગુજરાતી નેતાઓ સૌરાષ્ટ્રમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરશે.