For Quick Alerts
For Daily Alerts
અમેરલીના સાવરકુંડલામાં સિંહોએ કર્યું ગાયનું મારણ
અમરેલીમાં વારંવાર દેખાઇ રહ્યા સિંહ, સિંહના પશુઓ પર હિંસક હુમલા વધારી રહ્યા છે ગ્રામજનોની ચિંતા
અમરેલીના સાવરકુંલામાં છેલ્લા બે દિવસથી સિંહો પશુનું મારણ કરી જતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. પરોઢિયે બે સિંહો ગામમાં આવી ચઢ્યા હતા. જેમણે બે ગાયનું મારણ કર્યું હતું. નોંધનીય છે કે તેના આગલા દિવસે પણ એક નીલગાયનું અને બકરીનું મારણ સિંહો દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારે અવાર નવાર સિંહોનું ગામમાં દેખાવવું હવે ગામના લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. વળી સિંહા ગામના લોકોના પશુધનને પણ મોટા પ્રમાણમાં નુક્શાન પહોંચાડી રહ્યા છે. ત્યારે સિંહ જેવા જંગલી પ્રાણીઓનો માનવી વસ્તીમાં આ રીતે વારંવાર પ્રવેશ ખરેખરમાં એક ચિંતા વિષય બન્યો છે.
Comments
English summary
Amreli: lions killed two cows in the village, villagers are in fear.
Story first published: Saturday, December 31, 2016, 14:43 [IST]