બેટી બચાવો-બેટી પઢાઓના કાર્યક્રમાં હાજરી આપવા આનંદીબેન પાનીપતમાં

અમદાવાદ, 20 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બેન પટેલ આજે હરિયાણાના પાનીપતમાં મહિલા સશક્તિકરણ, બેટી બચાવો-બેટી પઢાઓ નેશનલ વર્કશોપમાં હાજરી આપવામાં માટે જશે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં આ અભિયાનને સફળતા પ્રાપ્ત થયા બાદ તેને અન્ય રાજ્યોએ પણ અપનાવ્યું છે.

આનંદીબેન પટેલ મંગળવારે 20 જાન્યુઆરીના રોજ હરિયાણાના પાનીપતમાં યોજાનારી 'બેટી બચાવો-બેટી પઢાઓ' વિષયક રાષ્ટ્રીય કાર્યશાળામાં વિશેષ હાજરી આપશે.

patel
અત્રે નોંધનીય બાબત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીના રોજ આ કાર્યક્રમનું રાષ્ટ્રવ્યાપી લોંચિંગ કરવાના છે, તે પૂર્વે મહિલા સશક્તિકરણ અને નારીકલ્યાણની વિવિધ યોજનાઓના વૈચારિક આદાન-પ્રદાન અને બેસ્ટ પ્રેક્ટિસીસના એક્સપીયરન્સ શેરિંગ માટે યોજાઇ રહેલા આ વર્કશોપમાં ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યમાં મહિલા અને બાળ કલ્યાણની નવિનત્તમ પહેલો અંગે વક્તવ્ય આપવાના છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં બેટી બચાવો-બેટી પઢાવો અભિયાનની શરૂઆત કરી હતી, અને તેને રાજ્યવ્યાપી મોટી સફળતા હાસલ થઇ હતી. આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોવાથી આ અભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવવાની નેમ અપનાવવામાં આવી રહી છે, જેનું વડાપ્રધાન 22 તારીખે વિધિવત લોંચિંગ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X