બે હજાર વર્ષ જૂની તકનીકથી બનેલુ INSV કૌંડિન્યા પોરબંદરથી ઓમાન જવા રવાના થયુ, જાણો ખાસિયત
ભારતીય નૌકાદળનું વિશેષ જહાજ INSV કૌંડિન્યા પોતાની પ્રથમ વિદેશ સફર માટે તૈયાર છે. આ જહાજ ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીની ઐતિહાસિક યાત્રા ખેડશે.
આ સફર માત્ર એક યાત્રા નથી પરંતુ ભારતના હજારો વર્ષ જૂના દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવાનો એક પ્રયાસ છે. તે પ્રાચીન વેપારી માર્ગોની યાદ અપાવશે.

INSV કૌંડિન્યાની સૌથી મોટી વિશેષતા તેની બનાવટ છે. આ જહાજ સંપૂર્ણપણે પરંપરાગત ટેકનોલોજી અને કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.
આધુનિક જહાજોથી વિપરીત આમાં લાકડાના પાટિયાઓને નાળિયેરના દોરડાથી સીવીને જોડવામાં આવ્યા છે. તેમાં લોખંડના ખીલા કે અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
આ ઐતિહાસિક સફરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બિરદાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા કારીગરો અને નેવીને અભિનંદન આપ્યા છે.
આ જહાજનું નામ પ્રાચીન ભારતીય નાવિક કૌંડિન્યા પરથી રાખવામાં આવ્યું છે. જેઓ પ્રાચીન સમયમાં ભારતથી દક્ષિણ-પૂર્વ એશિયા સુધી દરિયાઈ સફર ખેડવા માટે જાણીતા હતા.
સંસ્કૃતિ મંત્રાલય અને ભારતીય નેવીના સંયુક્ત સહયોગથી આ ખાસ જહાજ તૈયાર કરાયું છે. આ પ્રોજેક્ટ ભારતની સ્વદેશી વહાણવટું કળાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ યાત્રા દ્વારા ભારત અને ઓમાન વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ અને સાંસ્કૃતિક સંબંધો પણ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
