હવે રાજ્યના ખેડૂતોને મળશે 10 કલાક મળશે વીજળી, ગુજરાત સરકારે લીધો નિર્ણય
રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓ માં ખેડૂતોના પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરીને વીજળી પૂરી પાડવામા આવી રહી છે.

ઊર્જા મંત્રી કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જે બાદ અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે, જેની અમલવારી તારીખ 2, સપ્ટેમ્બર, 2023થી કરાશે.
ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ તારીખ 5 સપ્ટેમ્બર, 2023થી 10 કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે












Click it and Unblock the Notifications
