7 વર્ષ બાદ આજે જેલમાંથી બહાર આવ્યો આસારામનો પુત્ર નારાયણ સાંઈ
સાધ્વીઓના યૌન શોષણના ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલ આસારામના પુત્ર નારાયણ સાંઈ આજે જેલમાંથી બહાર આવી ગયો.
સુરતઃ સાધ્વીઓના યૌન શોષણના ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલ આસારામના પુત્ર નારાયણ સાંઈ આજે જેલમાંથી બહાર આવી ગયો. વર્ષ 2013થી જ તે જેલમાં બંધ હતો. ગુજરાત હાઈકોર્ટે તેની ફર્લો મંજૂર કરી. ઉપરાંત લગભગ 7 વર્ષ બાદ નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાંથી બહાર નીકળ્યો. તેના બહાર આવતા જ પોલિસની ટીમ તેને લઈને અમદાવાદ માટે રવાના થઈ ગઈ. તમને જણાવી દઈએ કે નારાયણ સાંઈએ પોતાની માની તબિયત ઠીક ન હોવાનુ કારણ જણાવીને ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેને જોઈને હાઈકોર્ટે નારાયણ સાંઈને 14 દિવસ માટે જામીન પર બહાર કરવાનો આદેશ આપ્યો.

ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ પર વર્ષ 2013માં સુરતના આશ્રમની સાધિકા બે બહેનો પર રેપનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં તેમણે કહ્યુ હતુ કે વર્ષ 2002થી 2004ની વચ્ચે સાંઈએ પરિવારને મારવાની ધમકી આપીને યૌન શોષણ કર્યુ. કેસ નોંધાયા બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ લગભગ એક મહિના બાદ તેને પંજાબ-દિલ્લી બૉર્ડરથી પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ 30 એપ્રિલ 2013ના રોજ સુરતની અદાલતે તેને આજીવન કેદની સજા સંભળાવી. તે ઉપરાંત બાકી આરોપી ગંગા, જમના કૌશલ અને રમેશ મલ્હોત્રાને પણ જેલ મોકલવામાં આવ્યા. વળી, પિતા આસારામ પણ 2013થી જ જેલની સજા ભોગવી રહ્યા છે. તેને પણ એક સગીરાનુ યૌન શોષણ કરવા પર આજીવન કેદની સજા થઈ. જ્યારે તે જેલમાં ગયો ત્યારે ઘણી વાર બહાર આવવાની કોશિશકરી પરંતુ જામીન મળી શક્યા નહિ.
નારાયણ સાંઈએ પોતાની માની તબિયત ઠીક ન હોવાની વાત કહીને હાઈકોર્ટમાંથી 14 દિવસની ફર્લા મંજૂરી કરાવી લીધી છે અને જેલમાંથી બહાર આવી ગયો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેની માને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમની તબિયત ખરાબ છે. એવુ જણાવાઈ રહ્યુ છે કે તેમનુ હાર્ટ માત્ર 40 ટકા જ કામ કરી રહ્યુ છે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સાંઈની જામીન અરજીને મંજૂરી આપી દીધી. નારાયણ સાંઈ હવે લગભગ 49 વર્ષનો થઈ ગયો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
