7 વર્ષ બાદ આજે જેલમાંથી બહાર આવ્યો આસારામનો પુત્ર નારાયણ સાંઈ
સાધ્વીઓના યૌન શોષણના ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલ આસારામના પુત્ર નારાયણ સાંઈ આજે જેલમાંથી બહાર આવી ગયો.
સુરતઃ સાધ્વીઓના યૌન શોષણના ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલ આસારામના પુત્ર નારાયણ સાંઈ આજે જેલમાંથી બહાર આવી ગયો. વર્ષ 2013થી જ તે જેલમાં બંધ હતો. ગુજરાત હાઈકોર્ટે તેની ફર્લો મંજૂર કરી. ઉપરાંત લગભગ 7 વર્ષ બાદ નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાંથી બહાર નીકળ્યો. તેના બહાર આવતા જ પોલિસની ટીમ તેને લઈને અમદાવાદ માટે રવાના થઈ ગઈ. તમને જણાવી દઈએ કે નારાયણ સાંઈએ પોતાની માની તબિયત ઠીક ન હોવાનુ કારણ જણાવીને ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેને જોઈને હાઈકોર્ટે નારાયણ સાંઈને 14 દિવસ માટે જામીન પર બહાર કરવાનો આદેશ આપ્યો.

ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ પર વર્ષ 2013માં સુરતના આશ્રમની સાધિકા બે બહેનો પર રેપનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં તેમણે કહ્યુ હતુ કે વર્ષ 2002થી 2004ની વચ્ચે સાંઈએ પરિવારને મારવાની ધમકી આપીને યૌન શોષણ કર્યુ. કેસ નોંધાયા બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ લગભગ એક મહિના બાદ તેને પંજાબ-દિલ્લી બૉર્ડરથી પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ 30 એપ્રિલ 2013ના રોજ સુરતની અદાલતે તેને આજીવન કેદની સજા સંભળાવી. તે ઉપરાંત બાકી આરોપી ગંગા, જમના કૌશલ અને રમેશ મલ્હોત્રાને પણ જેલ મોકલવામાં આવ્યા. વળી, પિતા આસારામ પણ 2013થી જ જેલની સજા ભોગવી રહ્યા છે. તેને પણ એક સગીરાનુ યૌન શોષણ કરવા પર આજીવન કેદની સજા થઈ. જ્યારે તે જેલમાં ગયો ત્યારે ઘણી વાર બહાર આવવાની કોશિશકરી પરંતુ જામીન મળી શક્યા નહિ.
નારાયણ સાંઈએ પોતાની માની તબિયત ઠીક ન હોવાની વાત કહીને હાઈકોર્ટમાંથી 14 દિવસની ફર્લા મંજૂરી કરાવી લીધી છે અને જેલમાંથી બહાર આવી ગયો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેની માને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમની તબિયત ખરાબ છે. એવુ જણાવાઈ રહ્યુ છે કે તેમનુ હાર્ટ માત્ર 40 ટકા જ કામ કરી રહ્યુ છે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સાંઈની જામીન અરજીને મંજૂરી આપી દીધી. નારાયણ સાંઈ હવે લગભગ 49 વર્ષનો થઈ ગયો છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા









Click it and Unblock the Notifications
