atmanirbhar bharat abhiyan : આ છે પન્નાબહેન સુરેન્દ્રનગરવાળા, જેમણે 30 હજાર મહિલાઓને બનાવી આત્મનિર્ભર
ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લાની એક કોલેજમાં અંગ્રેજી પ્રોફેસર પન્નાબહેન શુક્લાએ મહિલાઓ માટે નોકરી છોડી દીધી હતી, જે કારણે દરેક વ્યક્તિ પન્નાબહેનના વખાણ કરે છે.
Atmanirbhar Bharat Abhiyan : ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લાની એક કોલેજમાં અંગ્રેજી પ્રોફેસર પન્નાબહેન શુક્લાએ મહિલાઓ માટે નોકરી છોડી દીધી હતી, જે કારણે દરેક વ્યક્તિ પન્નાબહેનના વખાણ કરે છે. આશરે 37 વર્ષ પહેલા પન્નાબહેને સાથી મહિલાઓ સાથે તેમના ગામ વઢવાણમાં ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો. 'કર્મ એ જ પૂજા છે'ને ધ્યેય માનીને મહિલા સશક્તિકરણમાં શામેલ થઈ ગયા હતા. અત્યાર સુધી તેમણે લગભગ 30 હજાર મહિલાઓને રોજગારી આપી છે. જેમાં ઘણી વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પન્નાબહેન આ તમામ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કટિબદ્ધ છે. હવે દૂર દૂરથી જરૂરિયાતમંદ મહિલાઓ તેમની મદદ માંગે છે અને તેમને પણ મદદ મળે છે.


પ્રોફેસરની નોકરી છોડીને શરૂ કર્યો ઉદ્યોગ
પન્નાબહેન જણાવે છે કે, તેમને સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. સવારની પાળી પૂર્ણ કર્યા બાદ જ્યારે તેમને બપોરની નવરાશમાંસાથી મહિલાઓ સાથે ઘરના કામો કરવાનું શરૂ કર્યું હતું, જેથી તેમના નવરાશના સમયનો સારો ઉપયોગ કરી શકે. જેમાં ફૂડ પ્રોસેસિંગ તેમજ કોમ્પ્યુટર, બેઝિક નર્સિંગકોર્સ, ડ્રેસ ડિઝાઇનિંગ, મોબાઈલ રિપેરિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, બ્યુટી પાર્લર જેવા કામનો સમાવેશ થાય છે. આ ગૃહ ઉદ્યોગ આશરે 37 વર્ષ પહેલા પન્નાબહેને તેમના ગામવઢવાણમાં શરૂ કર્યો હતો. તે સમયે 11 મહિલાઓએ બચતમાંથી 121 રૂપિયા આપ્યા હતા અને પન્નાબહેને 1,111 રૂપિયાથી સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. તેમને સાથી મહિલાએસાથે મળીને ખાખરા, પાપડ અને અથાણાં વગેરે બનાવવાનું શરૂ કર્યું હતું.

આત્મનિર્ભર ભારત અભિયાનના આઇકોન બન્યા પન્નાબહેન
પન્નાબેહેનને તેમના ગૃહ ઉદ્યોગ માટે જગ્યાની જરૂર હતી. જે માટે માનદ ખજાનચી ઉષાબેહેન સાથે વાત કરી હતી. જે બાદ ઉષાબહેને તેમના ઘરમાં એક રૂમ આપ્યોહતો. લગભગ 6 મહિના સુધી ત્યાં કામ કર્યા બાદ, 1990માં જ્યારે મહિલાઓની સંખ્યામાં વધારો થયો, ત્યારે તેમને પોતાનો ગૃહ ઉદ્યોગ નોંધાવ્યો હતો. જેમ જેમ કામકરતી મહિલાઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓ ઉપરાંત અમદાવાદ અને મુંબઈ સુધી તેમનો માલ વેચવા લાગ્યો હતો.

'મહિલાઓ માટે સમયનું કોઇ બંધન નથી'
હવે તેમના દ્વારા તૈયાર કરાયેલા ખાખરા, પાપડ અને અથાણાંની ભારે માંગ છે. પન્નાબહેનનું કહેવું છે કે, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સૂત્રનેપોતાના માટે સચોટ માને છે. તેમને કહે છે કે, ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓ માટે સમયની કોઇ મર્યાદા નથી. તેમના ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓ રોજના200-250 રૂપિયાનું કામ કરે છે. આ ઉપરાંત દરેક મહિલાને દર મહિને તબીબી ખર્ચ માટે 500 રૂપિયા અલગથી આપવામાં આવે છે.

હજારો મહિલાઓને મળી રોજગારી
પન્નાબહેન કહે છે કે, અત્યાર સુધી હજારો મહિલાઓ અમારા ગૃહ ઉદ્યોગમાં જોડાઈ છે. અમે દર વર્ષે તેમને પ્રવાસો પણ કરાવીએ છીએ. વાર્ષિક ટર્નઓવર લગભગ 4કરોડ રૂપિયા છે, પરંતુ વધુ મહત્વની વાત એ છે કે, તેમણે ઘણી મહિલાઓને રોજગારી આપી છે. હવે ગામડાઓમાં મહિલાઓને વ્યાવસાયિક તાલીમ પણ આપવામાંઆવે છે. તેમના કામો હવે 625 ગામોમાંથી થઈ રહ્યા છે.

વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમ
આ કાર્યક્રમ ગરીબી રેખા નીચેની જીવતી મહિલાઓને વૈકલ્પિક રોજગારીની તકો પૂરી પાડવા માટે છે. સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા અને લીંબડીમાં બંધણી બંધન ડ્રેસડિઝાઇન, બ્યુટિશિયન તાલીમ અને મૂળભૂત કોમ્પ્યુટર કૌશલ્યમાં વ્યાવસાયિક તાલીમ અભ્યાસક્રમો ચલાવે છે. 1000 મહિલાઓએ આ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કર્યાછે. મંગલમ પ્રોજેક્ટ હેઠળ સંસ્થાએ 300 સફળ સ્નાતકો સાથે છ મહિનાનો હોસ્પિટલ એટેન્ડન્ટ કોર્સ પણ ચલાવ્યો હતો. જે મહિલાઓ હવે રૂપિયા 8,000થી 10,000/-દર મહિને કમાઇ રહી છે.












Click it and Unblock the Notifications
