ગુજરાત આસપાસ: પાટીદારોએ બતાવ્યું ટ્રેલર, 25મીએ ભવ્ય રેલી
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
શારદાબેન હોસ્પિટલમાં આગ
અમદાવાદમાં આવેલ શારદાબેન હોસ્પિટલમાં આગ લાગવાથી નાસભાગ મચી ગઇ હતી. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આખરે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
પાટીદાર અનામત આંદોલન મામલો
ધનસુરામાં નીકળેલી પાટીદારોની રેલી સંપન્ન. 2030 પાના પર 10 હજાર સહીં સાથે મામલતદારને આવેદન પત્ર આપ્યું.
એસટી નિગમના કર્મચારીઓની ચીમકી
એસટી નિગમના કર્મચારીઓની બીજી સપ્ટેમ્બરના રોજ માસ સીએલ પર જવાની ચીમકી આપી છે. એસટી નિગમના ત્રણેય સંગઠનો દ્વારા સામુહીક રજા પર ઉતરી જવાની ચીમકી આપી છે.
અમદાવાદમાં ભવ્ય રેલી
પાટીદાર અનામત આંદોલન મામલો વધુ વેગ પકડી રહ્યો છે, અમદાવાદમાં ગઇકાલે ઘાટલોડીયામાં શક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, હવે 25 ઓગસ્ટે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મહારેલી યોજાશે. ગુર્જર નેતા કિરોડીસિંહ બેસલાને રેલીમાં જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું.
વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત
અમજદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલા જોગેશ્વવરી સોસાયટી BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાતા એકનું મોત થયું છે. અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત થયું છે. રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે.
પાટીદાર અનામત આંદોલન
સમાજના પાંચ અગ્રણીઓ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. સમાજના અગ્રણીઓએ વિવિધ મુદ્દાઓને કલેક્ટર સમક્ષ કર્યા રજૂ, આવેદન પત્ર આપી રેલી સમાપન કરવામાં આવી હતી.
નવા એસટી સ્ટેન્ડ પર ફેરિયાઓ પર પ્રતિબંધ
આનંદીબેન પટેલના હસ્તે ગીતામંદિર ખાતે નવા એસટી બસ ટર્મીનલનું ઉદઘાટન કરવામાં આવ્યું, પરંતુ બસ પોર્ટ પર ફેરિયાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બસ પોર્ટ બનતાં ફેરિયાઓની રોજગારી છીનવાઈ ગઇ છે. 300 જેટલા ફેરિયાઓની રોજગારી છીનવાઈ જવાનો અંદાજ છે.
અમદાવાદ
ધંધુકા રાજપૂત સમાજ દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજ દ્વારા અનામત વિરોધી મહાસભાનું આયોજન કરાયું. 3500થી વધુ રાજપૂતો મહાસભામાં હાજર રહે તેવી વકી.
કડંલા દરિયામાં શંકાસ્પદ લોકો દેખાયા
કડંલા દરિયામાં શંકાસ્પદ લોકો દેખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જેના પગલે બીએસએફના ડ્રોન વડે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જોકે તપાશ કરતા કંઈ હાથ લાગ્યું ન્હોતું.
દોઢ વર્ષે યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો
દોઢ વર્ષ અગાઉ યુવતીની રહસ્યમય સંજોગોમાં હત્યા થઇ હતી, જેનો ભેદ આજે દોઢ વર્ષે ઉકેલાયો છે. જેમાં પ્રેમીએ જ કરી હતી પ્રેમિકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી યુવકની બનાસકાંઠા એલસીબીએ અટકાયત કરી લીધી છે.