For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોટીલાઃ બીસીજીના ઇંજેક્શને લીધો બે જોડિયા બાળકોનો જીવ

|
Google Oneindia Gujarati News

ચોટીલા, 14 નવેમ્બરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારઇ ખાતે રહેતા ખેડૂત કોળી યુવાનના બે જોડિયા બાળકોને બીસીજીના ઇંજેક્શન આપવામાં આવ્યા બાદ બન્ને બાળકો મોતને ભેટ્યાં હોવાની શંકા દર્શાવતા સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી જવા માપ્યો છે. આ અંગે કાર્યવાહી કરતા પોલીસે બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ મોકલી આપ્યા છે, પીએમ રીપોર્ટ આવ્યા બાદ સત્ય હકિકત બહાર આવશે, તેવું જાણવા મળ્યું છે.

kids-died-due-to-bcg-vaccination
આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર ચોટીલાના ધારઇ ગામે રહેતા ભલા નાંગાણીએ બુધવારે પોતાના જોડિયા બાળકો નિરવ અને નિકુંજને ધારઇ સબ સ્ટેશનના ફીમેલ હેલ્થ વર્કર પાસે પોલીયોના ટીપા તથા ખભા પર બીસીજીનું ઇંજેક્શન અપાવ્યા હતા. બપોરે બન્ને બાળકોને ડોઝ આપવામાં આવ્યો હતો, બાદમાં બપોરે અને રાત્રે 1 વાગ્યે માતાએ બન્ને બાળકોને પેટ ભરાવી સુવડાવી દીધા હતા, પરંતુ સવારે 4 વાગ્યે એકપણ બાળકનો રડવાનો અવાજ ન આવતા માતાને શંકા જાગી હતી.

ચિંતાગ્રસ્ત માતાએ જ્યારે પોતાના બાળકોને જોયા તો બન્ને મૃત અવસ્થામાં હતા, તેથી તેમણે પોતાના પતિને જાણ કરી અને થોડીકવારમાં ઘરમાં રોકકળ અને દેકારો થતાં ધારઇના સરપંચ સહિતના ગ્રામજનો ઘરે દોડી ગયા હતા. ગુરૂવારે બન્ને બાળકોને ચોટીલા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ સ્ટાફ હાજર થયો હતો અને બનાવની પ્રાથમિક તપાસ કરી બન્ને બાળકોના મૃતદેહોને રોજકોટ પીએમ અર્થે મોકલી દીધા હતા. રીપોર્ટ આવ્યા બાદ સમગ્ર બનાવ અંગેની સત્ય હકિકત જાણ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વાર જણાવવામાં આવ્યું છે.

English summary
BCG vaccine takes lives of two twin brothers in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X