સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાનો સંવેદનશીલ અભિગમ
રાજકોટથી ૧૫૦ મહિલાઓનું ગ્રુપ હરિદ્વાર જાત્રાએ ગયું હતું આ ગ્રુપને કાવડીયા યાત્રાને પરિણામે રસુલપૂર ટોલબુથ ગાજીયાપુર-દિલ્હી એકસપ્રેસ વે પર ટ્રાફિકના ભારણને પરિણામે તકલીફ ઉભી થતા તેમણે સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાનો સંપર્ક કરતા મંત્રી એ સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવીને ગ્રુપને હરિદ્વાર પહોચાડવાની વ્યવસ્થા કરી આપીને તેઓની યાત્રા વિના વિધને પાર પડે તે માટે માનવતાનું ઉમદા કાર્ય કર્યું છે.

રાજકોટથી રીટાબેન ગોસ્વામીના નેતૃત્વ હેઠળ ૧૫૦ જેટલી મહિલાઓ હરિદ્વાર યાત્રાએ નીકળી હતી ગઈકાલે આ ધટના ધટતા રીટાબેને મંત્રીનો સંપર્ક કર્યો હતો અને મંત્રીએ એન.આર.જી ડાયરેકટરને તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી.એન.આર.જી ડાયરેકટર દ્વારા સંકલન કરીને આ તમામ મહિલાઓને સહી સલામત રીતે હરિદ્વાર જવા માટેની વૈકલ્પિક રૂટ ગોઠવીને તમામ વ્યવસ્થાઓ પૂરી પાડીને સહી સલામત રીતે હરિદ્વાર પહોચાડી હતી આ માટે આ તમામ મહિલાઓએ મંત્રીનો હ્રદય પૂર્વક આભાર માન્યો હતો.












Click it and Unblock the Notifications
