ભારત સંકલ્પ યાત્રા: આદિવાસી ગામોમાં માળખાકીય વિકાસ માટે કેન્દ્ર સરકારે ફાળવ્યા 571 કરોડ
ભારત સંકલ્પ યાત્રા: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારના રોજ માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિવાસી બહુમતિ ધરાવતા ગામોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 571 કરોડ રૂપિયા આપ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરના આદિવાસી બહુલ દાંતા તાલુકામાં આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે વિકાસ ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.













Click it and Unblock the Notifications
