મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર્વાનું મતે ઘાટલોડીયા બેઠક પરથી ચૂંટણી લડશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવામાં થોડા જ દિવસો રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 33 જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયાનો પ્રરંભ કરી દિધો છે. નિરિક્ષકો દ્વારા કાર્યકર્તાઓને સાંભળવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવામાં થોડા જ દિવસો રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 33 જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયાનો પ્રરંભ કરી દિધો છે. નિરિક્ષકો દ્વારા કાર્યકર્તાઓને સાંભળવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની ઘટલોડીયા ભેઠક પર ફરી એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર્વાનુમતે ચૂંટણી લડશે. આ બેઠક પર મુખ્યમંત્રી સિવાય બીજા કોઇ ઉમેદવારે દાવેવદારી નહી નોધાવતા સર્વાનુમતે આ બેઠક ભૂપેન્દ્ર પટેલના ફાળે ગઇ છે.

ઘાટલોડીયા બેઠકની સેન્સ પ્રક્રિયામાં ભાજપના કોઇ જ કાર્યકર્તા દ્વારા ઉમેદવારી નોધવામાં નથી આવી અને તમામ કાર્યકર્તાઓએ ભૂપેન્દ્ર પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડે તેવો મત વ્યક્ત કર્યો હતો. આ બેઠક પર 50 જેટલા કાર્યકર્તાઓએ ભૂપેન્દ્ર પટેલને રિપિટ કરવાની માંગ કરી હતી.
નિરિક્ષકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની માંગનો સ્વીકાર કરીને ઘાટલોડીયા બેટક ની સેન્સ પ્રક્રિયા 3 દિવસ ચાલવાની હતી જેમા 27 થી 29 ઓક્ટોબર સુધી ત્રણ દિવસ ચાલનારી સેન્સ પ્રક્રિયા પ્રથમ દિવસે જ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. ઘાટલોડીયા બેટક પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની બેઠક હતી. ત્યાર બાદ આ ભેઠક ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
