અમદાવાદઃ મણિનગરમાં આતંક મચાવનારા શખ્સો સીસીટીવીમાં કેદ

આ બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર મણિનગરમાં આવેલા કાશીનાથ મહાદેવ પાસે શનિવારે મોડી સાંજે 10 જેટલા શખ્સો બાઇકમાં આવ્યા હતા અને ચિચિયારીઓ કરતા કાર અને એએમટીએસ બસના કાચ ફોડી હાહાકાર મચાવ્યો હતો. તેમજ લોકોને બાનમાં લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અચાનક આ રીતે કાર અને બસમાં તોડફોડ કરવામાં આવતા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.
વિસ્તારમાં બાઇકર્સ દ્વારા આતંક મચાવવામાં આવતા ભયભીત બનેલા દુકાનદારોએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. એ ગાળા દરમિયાન દક્ષિણી સોસાયટીથી મણિનગર રેલવે ક્રોસિંગ સુધી આતંક મચાવનારા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. પોલીસે સીસીટીવીની ફૂટેજ અનુસાર આતંક મચાવનારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
