ભાજપમાં કુંવરજી બાવળીયા બની શકશે દિગ્ગજ નેતા ?
ભાજપમાં કુંવરજી બાવળીયા બની શકશે દિગ્ગજ નેતા ?
તાજેતરમાં પુર્ણ થયેલ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ભારે પછડાટ સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે, હતાશ થયેલા ભાજપમાં આ પેટા ચૂંટણીના પરિણામ જીતની સાથે નવો ઉત્સાહ વધારનારા રહ્યા છે. જસદણની પેટા ચૂંટણીમાં ભારે મોટી લીડથી ભાજપે કોંગ્રેસના અવસર નાકીયા સામે વિજય મેળવ્યો છે.

ભાજપ માટે વિચારધારા સત્તા મહત્વની કે સત્તા ?
ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને સીધા કેબિનેટ મંત્રી તરીકે ગોઠવાઇ ગયા હતા. ભાજપને કુવરજી બાવળીયાના રૂપમાં નવી પ્રદેશ નેતાગીરી પણ મળી છે તો, સાથે સાથે એક કોળી સમાજના દિગ્ગજ નેતાની ખોટ પણ પુરાઇ છે. પરંતું, કૉંગ્રેસના વર્ષોથી કાર્યકર રહેલા નેતાના વિજયને ભાજપના નેતાઓ જે રીતે ઉજવી રહ્યા છે. તે જોતાં ક્યાંકને ક્યાંક ભાજપમાં કાર્યકરો અને નેતાઓ માત્ર સત્તાના મદમાં જ રહેવા માંગતા હોય તેવું પ્રતિત થાય છે.

કોળી નેતા પરષોત્તમ સોલંકીનું કપાઇ શકે છે પત્તું !
વિજય રૂપાણી અને જયેશ રાદડીયાના ગઢમાં યોજાયેલ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ ભાજપની તરફેણમાં મોટી લીડથી આવતાં આ બંને નેતા પાસ થયા છે. સ્થાનિક ગઢમાં પોતાનું પ્રભુત્વ બેસાડવામાં બંને નેતા પાસ થયા છે. તો, કુંવરજી બાવળીયા પણ પક્ષ પલટો કરીને આવ્યા હોવા છતાં તેમનો દબદબો યથાવત રાખવામાં સફળ રહ્યા છે. આગામી સમયમાં કોળી સમાજના મુખ્ય ચહેરા તરીકે ભાજપ કુંવરજી બાવળીયાને આગળ કરી શકે છે. ત્યારે, નજીકના સમયમાં હવે કોળી સમાજના ભાજપના એક આગેવાન પરષોત્તમ સોલંકીનું પત્તું કપાઇ શકે છે.

મંત્રીમંડળમાં ફેરફારના ભણકારા
રાજ્યના મંત્રીમંડળમાં નજીકના સમયમાં મંત્રીમંડળમાં ફેરફારની પ્રબળ સંભાવના છે. ત્યારે, મોટા ફેરફારની શક્યતા છે. ભાજપના હતાશ કાર્યકર્તાઓને આ પેટા ચૂંટણીના કારણે આત્મવિશ્વાસ વધ્યો છે. ત્યારે, કૉંગ્રેસનો ગઢ ગણાતી જસદણ બેઠકને ભાજપે કૉંગ્રેસના આયાતી ઉમેદવાર દ્વારા પડાવી લેવામાં સફળતા મેળવી છે.

કુંવરજી બનશે ભાજપના દિગ્ગજ નેતા !
ખરેખર રીતે જોઇએ તો, કુંવરજી બાવળીયાની જીત એ કોઇ પક્ષની વિચારધારાની જિત પણ નથી. એક પક્ષમાંથી બીજા પક્ષમાં પલ્ટો કરીને સત્તા મેળવનાર વૃતિની પણ જિત નથી. ત્યારે, આ જિતને એક લોકશાહી પ્રક્રિયાના ભાગરૂપે થયેલી ચૂંટણીની હારજીતથી વિશેષ કંઇ નથી. ત્યારે, ભાજપે પણ કુંવરજીને પોતાના દિગ્ગજ નેતાની ભુલ કરવી ભારે પડી શકે તો નવાઇ નહીં.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
