ભાજપ સરકારે ગૌશાળાઓ માટે 500 કરોડ ફાળવ્યા, આપ્યો 1 રૂપિયો પણ નહીં - મનીષ સિસોદિયા
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાત આવ્યા છે. આજે મનીષ સિસોદિયા બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોને મળ્યા હતા. તેમણે ગાયોની દુર્દશા જોઈ.
બનાસકાંઠા : આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાત આવ્યા છે. આજે મનીષ સિસોદિયા બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોને મળ્યા હતા. તેમણે ગાયોની દુર્દશા જોઈ. આ પછી સિસોદિયાએ વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સિસોદિયાએ કહ્યું- 'ભાજપના લોકો ગાયના નામે હોબાળો મચાવે છે, પરંતુ ગુજરાત સરકારે 500 કરોડનું બજેટ હોવા છતાં અહીંની ગૌશાળાઓ માટે એક પણ રૂપિયો જાહેર કર્યો નથી.

મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, 'મને ખૂબ જ દુ:ખ છે કે ભાજપ સરકારે ગૌશાળાઓ માટે 500 કરોડનું બજેટ હોવા છતાં આમાંથી એક પણ રૂપિયો બહાર પાડ્યો નથી. ગૌશાળા સંચાલકો ભંડોળની અછતથી પરેશાન છે, ભાજપ ગૌમાતાની સેવા કરવા માટે આ ફંડને બેશરમીથી દબાવી રહી છે.
સિસોદિયાએ કહ્યું કે, આજે મને બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકો સાથે વાતચીત કરવાની તક મળી હતી. અમારી સરકાર આવશે, ત્યારે જનહિતમાં અનેક નિર્ણયો લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
