ચૈતર વસાવા મુદ્દે મનસુખ વસાવાનું મોટુ નિવેદન, કહ્યું, બીજેપી નેતાઓ જ ચૈતરની મદદ કરી રહ્યા છે
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ પરિવાર અને સહયોગી પર જમીન મુદ્દે વન વિભાગના કર્મચારીઓને ધાક ધમકીની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બાદ ડેડિયાપાડા બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ.
એક તરફ આમ આદમી પાર્ટી બીજેપી પર છડયંત્રનો આરોપ લગાવી રહી છે તો બીજી તરફ બીજેપી નેતા મનસુખ વસાવાના એક નિવેદને મોટો વિવાદ ઉભો કર્યો છે.

ચૈતર વસાવા પર ફરિયાદ નોંધાયા બાદ તેમના સમર્થનમાં કાર્યકર્તાઓએ ડેડિયાપાડા બંધનું એલાન આપ્યુ હતુ. આ એલાન બાદ બીજેપી નેતા મનસુખ વસાવા ખુદ બહાર નીકળીને લોકોને દુકાન ખોલવા અપીલ કરતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન તેમને વાત કરતા મોટો ઘટસ્ફોટ કર્યો, તેમણે કહ્યું કે, દિવાળીના તહેવારને લઈને વેપારીઓએ મને રજૂઆત કરી છે. જેને લઈને વેપારીઓને દુકાન ખોલવા અપીલ કરી છે.
મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા સામે ફરિયાદ થવા છતા તેમના સમર્થકોએ બંધનું એલાન આપ્યુ છે. તેમણે કહ્યું કે, બીજેપીના કાર્યકરો વેપારીઓને દુકાનો ન ખોલવા ધમકાવે છે. ભાજપના જ કેટલાક આગેવાનો ચૈતર વસાવાને મદદ કરી રહ્યા છે. હું બીજેપી આગેવાનોને પ્રદેશ કક્ષાએ ખુલ્લા પાડીશ.
આ નિવેદન બાદ હવે રાજનીતિ ગરમાઈ છે. એક તરફ બીજેપી આ ઘટનાનો રાજકિય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ સ્થાનિક બીજેપી નેતાઓ વિશે મનસુખ વસાવાનું આ ચૌકાવનારૂ નિવેદન સામે આવ્યુ છે.












Click it and Unblock the Notifications
