ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોના નામ અંગે મત જાણવાનું શરૂ કર્યું

gujarat
અમદાવાદ, 22 ઑક્ટોબર : ડિસેમ્બરમાં યોજાવા જઇ રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટે ભાજપે સમગ્ર રાજ્યમાં પોતાના નિરીક્ષકોની ટીમ રચીને પ્રત્યેક મતવિસ્તારમાં કયા ઉમેદવારને ટિકીટ ફાળવવી તે માટે કાર્યકરોની રજૂઆતો સાંભળવાનું શરૂ કર્યું છે. આગામી 24 ઑક્ટોબર, 2012 સુધી ચાલનારી કામગીરી બાદ ભાજપ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો નક્કી કરશે.

સોમવારે એલિસબ્રિજ સહિતની અમદાવાદની અન્ય બેઠકો અંગેની રજૂઆતો સાંભળવામાં આવનાર છે. રવિવારે આ કામગીરી અંતર્ગત નિરીક્ષકો આઇ. કે. જાડેજા, પ્રફુરૂ પટેલ અને જયાબેન ઠક્કર સમક્ષ મણિનગર, અમરાઇવાડી, દાણીલીંમડા, ખાડિયા-જમાલપુર, દરિયાપુર અને અસારવા બેઠકો અંગે રજૂઆતો માટે મતવિસ્તારમાં વિવિધ કાર્યકરોને બોલાવાયા હતા.

નવાં સીમાંકન પ્રમાણે ઘણા મતવિસ્તારોમાં ફેરફારો થયા હોવાથી તેમજ અમદાવાદમાં સૌથી વધારે નવી બેઠકો અસ્તિત્વમાં આવી હોવાથી આ વખતની ચૂંટણી માટેના દાવેદારો પણ પોતાની ગણતરીથી જ દાવો કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X