ભાજપની પ્રદેશ કારોબારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત વધારવાના લક્ષ્યાંક પર ભરા મુકાયો
ભાજપની પ્રદેશ કારોબારી મળી હતી જેમા સમગ્ર રાજ્યમાંથી ભાજપના કાર્યકર્તા અને પદ્દાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસગે ભાજપના ટોચના નેતાઓ સકારના મત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી ચાલી રહી છે જેમા ભાજપ દ્વારા આગામી દિવસોમાં આવનાર 72 નગરપાલિકા અે 2 જિલ્લા અને 17 પંચાયતની ચૂટણી જીતવા પર ચર્ચા કરવામાં આવી હતી. આજની બેઠકામાં રાજ્યના તમામ મંત્રીઓ હાજર રહેશે. આ બેઠકમા ડાટા મેનેજમેન્ટ અને તેના ઉપયોગને લઇને ચર્ચા કરવામાં આવશે. આ અંગે ભાર્ગવ ભટ્ટ અને ત્યાર બાદ સરકારની માહિતી અંગે સરકાર મંત્રી જન્મદિવસ વિશ્વકર્મા અને ગૃહમંત્રી હર્ષ સઘવી પ્રઝેન્ટેશન રજુ કરશે.

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તમામ 26 બેઠકો કબજે કરવા માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં જે બેટકો પર કોગ્રેસ અને આપના ઉમેદવારોને વધારે મતો મળ્યા છે તેમજ ભાજપને પાતળી સરસાઇથી જીત મળી છે તેવી 55 બેઠકો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
