રાજનાથસિંહ અમદાવાદમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ડોર ટુ ડોર પ્રચાર કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂટંણીના બીજા તબક્કાની 93 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરસોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેને લઇને ભાજપના રાષ્ટ્રીય નેતા ગુજરાતમાં ઠેર ઠેર પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે અ
ગુજરાત વિધાનસભાની ચૂટંણીના બીજા તબક્કાની 93 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરસોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેને લઇને ભાજપના રાષ્ટ્રીય નેતા ગુજરાતમાં ઠેર ઠેર પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે અમદાવાદ ખાતે ડોર ટુ ડોર પ્રચાર કરીને ભાજપના ઉમેદવાર માટે મત માગ્યા હતા.

રાજનાથસિંહે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વન થર્ડ મેજોરીટી સાથે ભાજપ સરકાર બનાવશે. જ્યાં સુધી આપ અને કોગ્રેસનો સવાલ છે કોગ્રેસ આ ચૂંટણીમાં ક્યાંય લડાઇમાં નથી જ્યાર આપ પોતાના અસ્તીત્વની લડાઇ લડી રહી છે. કોગ્રેસ ભારત પર સૌથી લાંબા સમય સુધી શાસન કર્યુ છે. અને રાજકીય વિશ્વનિયતા ગુમાવી છે. ત્યારે તેમની કરણી કથનીમાં અંતર જોવા મળ્યુ છે તેણે જે કહ્યુતે કર્યુ હોત તો ભારત મહાસતા બની ગઇ હોત.
રાજનથસિંહ જણાવ્યુ હતુ કે, ભાજપે રાજનીતિક વિશ્વનિયતાનું જે સંકટ ઉભૂ થયુ છે તેનો પડકાર રૂપે ભાજપે સ્વીકાર કર્યો છે ભાજપ દ્વારા જે પણ કહેવામાં આવ્યુ છે તે કર્યુ છે. ભાજપે જનસંધથી કરવામાં આવેલા વચનો પુરા કર્યા છે. પાછળના તમામ સંકલ્પ પત્રો ઉઠઆવીને જોઇ લો ભાજપ દ્વારા તેના તમામ વચનો પુરા કરવામાં આવ્યા છે. જ્યાં સુધી નરેન્દ્ર મોદીનો સવાલ છે તેના આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની શાખ વધી છે. ભારતને લોકો સાંભળી રહ્યા છે. રશિયા અને યુક્રેન સંકટ દરમિયાન ભારતના ફસાયેલા લોકોને કાઢવા માટે જો ભાઇડન, રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેનના વડા સાથે વાત કરીને યુદ્ધને રોકીને ભારતના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
20મીં સદિમાં ગુજરાતા પેદા થયેલા મહાત્મા ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી અને સરદાર પટેલે ભારતને એક કરવામા મહત્વનું યોગદાન આપ્યુ હતુ. 21 મી સદિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદેી ગૌરવ અને અસ્મિતાના પ્રતિક છે. આજે તેમના ઉપર કોગ્રેસ દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વસ્થ લોકતાંત્રીક વ્યવસ્થામાં કોઇ પણ લોકો પર અપશબ્દનો પ્રયોગ કરવો તે સ્વીકાર્ય નથી. કોગ્રેસના અધ્યક્ષની સોચ નથી પરંતુ કોગ્રેસના નેતૃત્વની જમાતનું પરીણામ છે.
પ્રધાનમંત્રી કોઇ વ્યક્તી નથી હોતા તે એક સંસ્થા હોય છે ગુજરાતના ગૌરાવ અને અસ્મિતાના પ્રતિક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના પર અપશબ્દો ઉપયોગ કર્યો તેના પર ગુજરાતના લોકો મહતોડ જવાાબ આપશે. ભારતની અર્થવ્યવસ્થાને તાકાત આપવાનું કામ જો કોઇએ કર્યુ હોય તો તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ છે. આજે આપણે દુનિયાની ટોપ 5 ઇકોનોમીમાં આવી ગયા છેીએ.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ












Click it and Unblock the Notifications
