ભવ્ય-દિવ્ય ગુજરાત નિર્માણની શક્તિ સૌને પ્રાપ્ત થાય : ભાજપ

નૂતનવર્ષ પ્રારંભના પાવન પર્વે શુભેચ્છા પાઠવતા તેઓએ જણાવ્યું છે કે નૂતનવર્ષે ગુજરાતના પ્રજાજનો દિવાળીના મહાપર્વ બાદ લોકશાહીના મહાપર્વને પણ ઉત્સાહ, ઉમંગ અને આનંદભેર ઉજવી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં સતત ૧૧ વર્ષથી ચાલી રહેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વધુ દૈદિપ્યમાન કરવા કટિબદ્ધ બને. ગુજરાતની ૬ કરોડ જનતાને ભવ્ય-દિવ્ય ગુજરાત નિર્માણ કરવા માટેના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવાની શક્તિ મળે તેવી પણ પ્રભુને પ્રાર્થના કરી છે.
તેઓએ શુભેચ્છા સંદેશમાં ગુજરાત અને દેશમાંથી મોંઘવારી અને ભ્રષ્ટાચારરૂપી રાક્ષસના ખાત્મા માટે પ્રજાજનોને જાગૃત થવા આહ્વાન કરી સમગ્ર રાજયના ભાજપા પરિવાર વતી સમગ્ર ગુજરાતવાસીઓને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી છે. ભાજપાના નૂતન વર્ષના સંમેલનનો આજે ૧૪ નવેમ્બરથી પ્રારંભ.
ભાજપાના નૂતનવર્ષ સ્નેહ મિલન સંમેલનનો ૧૪ નવેમ્બરથી પ્રારંભ થશે. ગુજરાતની ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં ૧૪ તારીખથી ૧૮ તારીખ સુધી ભાજપા કાર્યકરો, શુભેચ્છકોની ઉપસ્થિતિવાળા સ્નેહ સંમેલન યોજશે. આ સંમેલનમાં બુથ તેમજ ગ્રામ્યસ્તરના કાર્યકરો ઉપસ્થિત રહેશે. જેને મહાનુભાવો નવા વર્ષની શુભેચ્છા પાઠવી લોકશાહીના ગુજરાતમાં નવા વર્ષે ઉજવવામાં આવનાર પર્વમાં સક્રિય થવા આહ્વાન કરશે તેમ ભાજપાના મીડીયા ઈન્ચાર્જ ડો. જગદીશ ભાવસારે એક યાદીમાં જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
