બોટાદના હડદડ ઘર્ષણ કેસમાં રાજુ કરપડા સહિત 21 ખેડૂતોને જેલમાં મોકલાયા
બોટાદ જિલ્લાના હડદડ ગામે તાજેતરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો વધુ ગરમાયો છે. આ ઘટનામાં સંડોવાયેલા આમ આદમી પાર્ટી (AAP)ના અગ્રણી નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 21 ખેડૂતોને કોર્ટે ભાવનગર જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

બોટાદના હડદડ ગામે ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ સાથે થયેલા સંઘર્ષના મામલે કુલ 85 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ પૈકી અત્યાર સુધીમાં કુલ 68 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી 21 ખેડૂતોના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે આજે પૂર્ણ થયા હતા.
રિમાન્ડ પૂર્ણ થતાં બોટાદ પોલીસ દ્વારા તમામ 21 ખેડૂતોને જજના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. આ રજૂઆત બાદ જજ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના તમામ 21 લોકોને ભાવનગર જેલમાં મોકલી આપવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ઘટનાથી બોટાદ સહિત રાજ્યના રાજકારણમાં ચર્ચા વધી છે. વિપક્ષ આ મામલે સરકાર પર દમનનો આરોપ લગાવી રહ્યો છે, જ્યારે પોલીસ તંત્ર કાયદાકીય કાર્યવાહીના ભાગ રૂપે પગલાં લઈ રહ્યું હોવાનું જણાવી રહ્યું છે. આ કેસમાં આગામી સમયમાં કેવા વળાંકો આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.












Click it and Unblock the Notifications
