જાસૂસી કાંડમાં નરેન્દ્ર મોદીની મુશ્કેલીઓ વધી
ગાંધીનગર, 3 ડિસેમ્બર: જાસૂસી કાંડમાં હાલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિએ મહિલા કોંગ્રેસનો ઉદ્દેશ પત્ર ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઇશારા પર એક મહિલાની જાસૂસી કરવા બદલ આકરી ટીકા કરતાં કોંગ્રેસ સહિત ચાર રાજકીય પક્ષોએ 25 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને એક ઉદ્દેશ્ય પત્ર સોપ્યો હતો અને સમગ્ર કેસની ન્યાયિક તપાસની માંગણી કરી હતી.
આ દરમિયાન રવિવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દર મોદીના ખાસ અમિત શાહના ઇશારા પર રાજ્યની એક મહિલાની 'જાસૂસી' કાંડ દરમિયાન કેન્દ્રએ કહ્યું હતું કે તે ગુજરાતમાં સરકારી મશીનરીના દુરઉપયોગની તપાસ કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એવું સાબિત થઇ રહ્યું છે કે ગુજરાત પોલીસે મહિલાના ટેલિફોનને કેન્દ્રિય ગૃહ સચિવની પરવાનગી વિના ગુજરાત ઉપરાંત તે સમયે પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા જ્યારે તે મહારાષ્ટ્ર તથા કર્ણાટક ગઇ હતી. ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટના એક નિવૃત જજની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ પહેલાંથી બનાવવામાં આવી છે. આ કેસ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અંગત વ્યક્તિ અમિત શાહ દ્વારા એક મહિલાની જાસૂસીના આદેશને લઇને કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
