'એક કા તીન' કૌભાંડી અભય ગાંધીની ધરપકડ

માહિતી અનુસાર વિદેશ ભાગી ગયો હોવાના સમાચાર વચ્ચે આજે અભય ગાંધી અમદાવાદ આવી રહ્યો હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી અને અભય ગાંધી જેવો એરપોર્ટ પર પહોંચ્યો તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ તેને અજ્ઞાત સ્થળે લઇ ગઇ હોવાના અહેવાલ છે, જ્યાં તેની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, અભયે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, તે આ આખું નેટવર્ક કેવી રીતે અને ક્યાંથી ચલાવતો હતો તથા કૌભાંડ કરીને તે ક્યાં જતો રહ્યો હતો અને એ પૈસાનો તેણે ક્યાં અને કેવી રીતે ઉપયોગ કર્યો સહિતના પ્રશ્નો પોલીસ દ્વારા પૂછવામાં આવશે.
નોંધનીય છે કે,અભય ગાંધીએ એએસઆઇઈ નામની એક કંપની શરૂ કરી હતી. જેની ત્રણ બ્રાન્ચ તેણે સેટેલાઇટ અને વસ્ત્રાપુરમાં ખોલી હતી. તે લોકોને તેમના પૈસા શેરબજાર અને શેરબજાર અને સોના-ચાંદીમાં રોકવાની લાલચ આપી કરોડો રૂપિયા ચાંઉ કરી ગયો હતો. અભય ગાંધીની આ લાલચમાં રાજકારણી, પોલીસ અધિકારી, વેપારી, ઉદ્યોગપતિ સહિતના લોકો ભોળવાઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું અને આ તમામ રોકાણકારોનું કાળું નાણું હોવાથી કોઈ ફરિયાદ કરી નહીં હોવાની વાત વહેતી થઇ હતી.












Click it and Unblock the Notifications
