વડતાલ સેક્સ સીડી કાંડ, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય એક મોટું નામ ધરાવે છે. અનેક લોકો તેના ભક્તો છે પણ 2005માં કંઇક તેવું બન્યું જેના કારણે એક મોટો વિવાદ સર્જાયો. આ આ મોટા વિવાદ હતો સ્વામીનારાયણ સાધુઓની સેક્સ સીડી. આજે આ ધટનાને 11 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આજે આ સીડી કાંડ માટે જવાબદાર તેવા અજેન્દ્ર પ્રસાદે નડિયાદ કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જો કે તે વાત વિચારવા લાયક બની ગઇ હતી કે 11 વર્ષો સુધી પોલિસ કેમ અજેન્દ્ર પ્રસાદ પાંડેને પકડવામાં અસફળ રહી હતી?
નોંધનીય છે કે કોર્ટે અજેન્દ્ર પ્રસાદની શરણાગતિ સ્વીકાર્યા બાદ 23 ઓગસ્ટે આ કેસ પર સુનવણી હાથ ધરશે. ત્યારે શું હતો આ સમગ્ર વિવાદ, કેમ પોલિસ 11 વર્ષ સુધી અજેન્દ્ર પ્રસાદને પકડવામાં અસફળ રહી તે વિષે બધુ જ જાણો અહીં...

સેક્સ સીડી
2005માં નૌતમ સ્વામી જૂથના કેટલાક સાધુઓની સેક્સ સીડી બજારમાં ફરતી થતા ખળભળાટ મચ્યો હતો. એક પછી એક સાધુઓની આવી સીડીઓ બહાર આવતા આ પંથમાં માનનાર લોકો અને ગુજરાતભરના લોકોમાં હડકંપ મચી ગયો હતો.
એક જૂથે બીજા જૂથની પોલ ખોલી
પોલિસ સ્ટેશનમાં જે મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે મુજબ અજેન્દ્ર પ્રસાદે તેમના વિરોધી જૂથ તેવા નૌતમ સ્વામી જૂથના સાધુઓને ફસાવવા માટે જ આવી સીડી બજારમાં ફરતી કરી હતી. તેમની પર પોલિસ સ્ટેશનમાં ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.

પૈસાના જોરે બધુ કરાવ્યું
અજેન્દ્ર પ્રસાદ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે પૈસા આપીને યુવતીઓને સાધુઓ પાસે મોકલી હતી. અને તે પછી જે પણ થયું તે પણ પૈસાના જોરે જ પાર પાડવામાં આવ્યું હતું.

11 વર્ષથી ફરાર
ત્યારે આજે જ્યારે અજેન્દ્ર પ્રસાદ નડિયાદ કોર્ટમાં રજૂ થયા ત્યારે તે વાત મહત્વની બની જાય છે કે સીબીઆઇથી માંડીને ગુજરાત પોલિસ કેમ પાછલા 11 વર્ષથી આ સાધુની શોધખોળ કરવામાં અક્ષમ રહી. નોંધનીય છે કે હાઇકોર્ટે અજેન્દ્ર પ્રસાદેની જામીન અરજી ફગાવી હતી. ત્યારે અજેન્દ્ર પ્રસાદની આ શરણાગતિ દ્વારા આવનારા દિવસોમાં અનેક મહત્વપૂર્ણ રાજ બહાર આવશે તેવું હાલ લાગી રહ્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
