વિકાસથી વંચિત છોટાઉદેપુર જિલ્લો, 7 વર્ષથી મરામત ઝંખતો હરીપુરા કોઝવે!
ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે કેટલાક એવા દ્રશ્યો છે જે વિકાસની આ મોટી મોટી વાતોની હવા કાઢવા માટે પુરતા છે. એક તરફ શહેરો દેખાડીને વિકાસની પરિભાષા નક્કી કરવામાં આવી રહી છે ત્યારે હવે ગામડાઓ તરફ પર નજર દોડાવવા જેવું છે.
ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે કેટલાક એવા દ્રશ્યો છે જે વિકાસની આ મોટી મોટી વાતોની હવા કાઢવા માટે પુરતા છે. એક તરફ શહેરો દેખાડીને વિકાસની પરિભાષા નક્કી કરવામાં આવી રહી છે ત્યારે હવે ગામડાઓ તરફ પર નજર દોડાવવા જેવું છે. ગુજરાતના પછાત જિલ્લાઓમાં આજે પણ લોકો પાયાની સુવિધાઓ માટે ઝંખી રહ્યાં છે. આવા જ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહ્યાં છે.

ગુજરાતનો આદિવાસી જિલ્લો ગણાતો છોટાઉદેપુર જિલ્લો આમ તો ત્યાંની લોક સંસ્કૃૃતિ અને મેળાઓ માટે પ્રવાસનનું કેન્દ્ર છે. બીજી તરફ આ જ જિલ્લામાંથી કેટલાક એવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે જે વિકાસની પરિભાષાને ફરીથી પરિભાષિત કરવા માટે મજબુર કરે છે.
આપણે વાત કરી રહ્યાં છીએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુરા ગામની. ગુજરાતના પછાત ગણાતા તાલુકામાં આવેલા અંતરિયાળ ગામમાં આજે પણ લોકોને આવવા જવા માટે સારો રસ્તો નથી. આ ગામમાંથી બહાર આવવા-જવા ત્યાંથી પસાર થતી અશ્વિની નદી ઓળંગવી ફરજીયાત છે. ગામ લોકોની કરમની કઠણાઈ એ છે કે આ નદી પર કોઝ વેની મરામત ન થતી હોવાથી તેઓ છેલ્લા સાત વર્ષથી પગપાળા ચાલીને જઈ રહ્યાં છે. રાજ્ય સરકાર ગમે તેવા મોટા દાવાઓ કરતી હોય પણ છેલ્લા સાત વર્ષથી અહીંના સ્થાનિકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી.
ટીવી 9 ના અહેવાલ મુજબ, આ નદીમાંથી પસાર થતો કોઝ વે ગામને બાકી દુનિયા સાથે જોડતો મુખ્ય રસ્તો છે. જેના કારણે હવે આ રસ્તો તુટી જતા સ્થાનિકો પગપાળા ચાલીને જવા મજબુર બન્યા છે. આલમ એ છે કે આ રસ્તો તુટી જતા હવે કોઈ વાહન ત્યાંથી પસાર થઈ શકતા નથી. આ સ્થિતીમાં સ્થાનિકો માટે બહાર જવા માટે પગપાળા સિવાય કોઈ રસ્તો બચતો નથી.
સ્થાનિકો મુજબ આ રસ્તો વર્ષો પહેલા બન્યો હતો અને વરસાદમાં તેનું ધોવાણ થતા કોઈ તેની સુધ લેવા તૈયાર નથી. આ બાબતે સ્થાનિકો અવાર નવાર તંત્રને રજુઆત કરી ચુક્યાં છે. અગાઉ આ કોઝ વે પાર કરતા બે લોકો તણાયા હતા અને તેમના મૃત્યુ થયા હતા. આ કરૂણાંતિકા છત્તા પણ તંત્રની હજુ આંખ ખુલ્લી નથી. હવે સ્થિતી એ છે કે અભ્યાસ અર્થે બહાર જતા ગામના બાળકો માટે મોત મંડરાઈ રહ્યું હોય એવી સ્થિતી છે. ગામમાં કોઈ ગંભીર અકસ્માતની સ્થિતીમાં 108 પણ આવી શકતી નથી. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ બાબતે ક્યારે કોઈ પગલા ભરે છેે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
