Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે સવારે ૯ થી ૧૧ અરજીઓ લેવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઇન નિવારણ માટેના સ્વાગત ઓનલાઇનના કાર્યક્રમના રાજ્ય સ્વાગતમાં ગુરૂવાર, તા.રર જૂનના બપોરે ૩ કલાકે ઉપસ્થિત રહેશે.

Bhupendra patel
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સામાન્ય નાગરિકોની સમસ્યા-રજૂઆતો અંગે ટેક્નોલોજીના માધ્યમથી ઓનલાઇન નિવારણ માટે આ ''સ્વાગત'' કાર્યક્રમની શરૂઆત કરાવેલી છે. તદ્દઅનુસાર, દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સ્વયં ઉપસ્થિત રહીને નાગરિકોની ફરિયાદો-રજૂઆતો સાંભળીને તેના નિવારણ માટેના ઉપાયો સૂચવે છે.

આ જૂન મહિનાના ચોથા ગુરૂવારે તારીખ રર મી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે બપોરે ૩ વાગ્યે ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.

મુખ્યમંત્રીને આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવા ઇચ્છતા અરજદારો પોતાની રજૂઆત-અરજી સવારે ૯ થી ૧૧ દરમ્યાન સ્વર્ણિમ સંકુલ-ર માં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં નોંધાવી શકશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X