Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

van Setu Chetna Yatra: ગુજરાત વન વિભાગ દ્વારા વન સેતુ ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે. નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકી વનથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ CM દ્વારા કરાવવામાં આવશે.

5 દિવસની વન સેતુ ચેતના યાત્રા આદિજાતિ બાંધવોને સ્પર્શે છે. વન સેતુ ચેતના યાત્રા 14 જિલ્લામાંથી પસાર થઈને અંદાજિત 1000 કિલોમીટરનું અંતર કાપશે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા સહિતના 14 જિલ્લામાંથી વન સેતુ ચેતના યાત્રા પસાર થશે.

van Setu Chetna Yatra

વન સેતુ ચેતના યાત્રામાં 51 આદિજાતિ તાલુકાના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને ભાગ લેશે. વન સેતુ ચેતના યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

રાત્રિના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદીરોએ દર્શન કરવામાં આવશે. આ સાથે વનસહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત પણ કરવામાં આવશે.

વન સેતુ ચેતના યાત્રા દરમિયાન વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારા આદીવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ દ્વારા સમ્માન કરવામાં આવનાર લોકોની યાદી બનાવવામાં આવી છે.

વન સેતુ ચેતના યાત્રા દરમિયાન રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ સહિતના કાર્યક્રમો થશે. ઉલ્લેખનીય છે કે, વન સેતુ ચેતના યાત્રા 22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X