પ્રેમ લગ્ન કરવા વાળીની મંજરી ફરજીયાત કરવા અભ્યાસ કરવામાં આવશે: મુખ્યમંત્રી
માતા પિતાની મંજરી વગર યુવાનો પ્રેમ લગ્ન કરી લેતા હોય છે ત્યારે આ બાબતને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનુ નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રેમલગ્ન માતા-પિતાની મંજુરી ફરજીયાત કરવા માટે અભ્યાસ કરવામાં આવેશ. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિવેદન મહેસાણા ખઆતે એસપીજી દ્વારા કરવામાં આવેલા પાટીદાર સ્નેમિલન કાર્યક્રમમાં આપ્યુ હતુ

આ પહેલા પાટીદાર સમાજ દ્વારા એવી માગ કરવામાં આવી હતી કે, લવ મેરેજમાં વાલીની મજુરી ફરીજિયાત હોવી જોઇએ. તેના પર મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજીયાત કરવાામાં કરવા માટે જરૂરી અભ્યાસ કરવામાં આવશે. બંધારણ ન નડે તે રીતે દિકરીઓ પ્રેમ લગ્ન કરે તે બાબતે ચોક્કસ વ્યવસ્થા કરવા જણાવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
