ગુજરાતના આ મંદિરમાં પ્રસાદમાં વહેંચાય છે ચૉકલેટ, પિત્ઝા અને હૉટડૉગ, જુઓ Pics
આજે અમે આપને એક એવા મંદિરના દર્શન કરાવીશુ જ્યાં ચૉકલેટ, પિત્ઝા અને હૉટડૉગનો પ્રસાદ વહેંચવામાં આવે છે.
દુનિયામાં સર્વાધિક મંદિરોવાળો દેશ ભારત, મ્યાનમાર અને ઈન્ડોનેશિયા છે. હિંદુ સમાજમાં સર્વાધિક અનુયાયી ભારતમાં છે. અહીં 90 કરોડથી વધુ હિંદુ છે જેના માટે હજારો મંદિર છે. દરેક મંદિરની કોઈને કોઈ કહાની રહી છે, માન્યાતાઓ રહી છે. ઘણા મંદિર હજારો ટન સોનાથી બનેલા છે, તો ઘણા મંદિરોમાં ભગવાનની ચાંદી-તાંબાની પ્રતિમાઓ હાજર છે. દેશમાં અમુક એવા મંદિર પણ છે જે પોતાના અલગ પ્રકારના ભોગ-પ્રસાદ માટે પ્રખ્યાત છે. આજે અમે આપને એક એવા મંદિરના દર્શન કરાવીશુ જ્યાં ચૉકલેટ, પિત્ઝા અને હૉટડૉગનો પ્રસાદ વહેંચવામાં આવે છે.
ક્યારેક પાણીપૂરી તો ક્યારેક ચૉકલેટ, બિસ્કિટ...
માન્યતા છે કે મા જીવંતિકા ભક્તોના સંતાનોની રક્ષા કરે છે અને તેમની દરેક મુશ્કેલીઓ દૂર કરે છે. એટલા માટે મહિલાઓ પોતાના સંતાનોની લાંબી ઉંમર અને સુરક્ષા માટે મા જીવંતિકાનુ વ્રત રાખે છે. આ મંદિરમાં રોજ અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે. ક્યારેક પાણીપૂરી તો ક્યારેક ચૉકલેટ, બિસ્કિટ અને કોલ્ડ્રિંગ પણ આપવામાં આવે છે.
બાળકોને ખૂબ પસંદ છે આ મંદિર
મંદિરમાં જ્યારે સાંજે આરતી થાય છે તો પ્રસાદ લેવા માટે બાળકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે કારણકે તેમને ખબર છે કે અહીં પ્રસાદમાં તેમને પોતાની મનપસંદ વસ્તુ મળવાની છે.
આ પણ વાંચોઃ
પાર્સલ દ્વારા પ્રસાદ મોકલાવે છે ભક્ત
મંદિરના પૂજારી જણાવે છે કે દેશ વિદેશોમાંથી ભક્તો પાર્સલ દ્વારા પ્રસાદ મોકલાવે છે. તેમની મનોકામના પૂરી થાય તો પોતે પણ અહીં આવે છે. રોજ સ્થાનિક લોકો પૂજા કરે છે.
વેબસાઈટ પર માહિતી
www.jivantikaadyasthan.com વેબસાઈટ પર આ મંદિરની સ્થાપના સાથે જોડાયેલી કહાની જણાવવામાં આવી છે. સાથે વ્રતની માહિતી પણ આપવામાં આવી છે.