રાજકોટનો કાયાપલટ કરશે,100 કરોડના ખર્ચે બંધાનાર બસ ટર્મિનલ
રાજકોટમાં સો કરોડના ખર્ચે એક હાઇટેક આયકોનિક બસ ટર્મિનલ બનવાનું છે. જેની તસવીરો જુઓ અહીં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અત્યાધુનિક સગવડો વાળા આયકોનિક બસ ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટમાં આ બસ ટર્મિનલ 100 કરોડના ખર્ચે બંધાશે. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજકોટ એસ.ટીમાં આધુનિક સગવડો આપવા અને અદ્યતન આંતરાષ્ટ્રિય કક્ષાના એરપોર્ટની સુવિધા રાજ્ય સરકાર આપવા જઇ રહી છે. નોંધનીય છે કે રાજ્યમાં ચાર આધુનિક બસ ટર્મિનલ કાર્યરત થઇ ગયા છે. અને હવે બીજા 14ના ખાતમુહર્ત થવા જઇ રહ્યા છે.

રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં 50 થી વધુ વોલ્વો બસો જુદા જુદા લાંબા રૂટો પર દોડવવામાં આવી રહી છે. આ બસ ટર્મિનલમાં ફુડઝોન, શોપિંગ મોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ એસટીમાં જીપીએસ સીસ્ટમ, ઇલેક્ટ્રોનિક સાઇન બોર્ડ તેમજ મોબાઇલ એપ જેવી સુવિધાઓ મુસાફરોને આપવામાં આવશે.

વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં 191.91 લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લા નોંધણી ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેમણે આધુનિક કચેરીનું નિરિક્ષણ કર્યું હતું. આ કચેરીમાં એક દસ્તાવેજ નોંધણી કક્ષ, નવ ઓફિસ કક્ષ તેમ જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવનમાં રાજકોટ શહેરના સબ રજીસ્ટ્રાર કચેરી રાજકોટ ઝોન-૧ (શહરે ) તથા હેડકવાર્ટર સબ રજીસ્ટ્રાર કચેરી, નોંધણી નિરક્ષકની કચેરી તથા લગ્ન નોંધણી અધિકારીની કચેરીઓ કાર્યરત રહેશે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી










Click it and Unblock the Notifications
