કોંગ્રેસે કામદારોને અનુલક્ષીને 11મો મુદ્દો જાહેર કર્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ 11મો મુદ્દો જાહેર કરતા જણાવ્યું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો આ વિકાસ મુદ્દાઓનો અમલ કરશે. જેમાં કામદારો માટે કલ્યાણ બોર્ડ બનાવશે અને ૨૦૦૯ની વેન્ડર પોલીસીનો સંપૂર્ણપણે અમલ કરાવશે.
સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન - ૨૦૧૨' નો ૧૧મા મુદ્દામાં કહેવાયું હતું કે જો ગુજરાતમાં સત્તા પર આવશે તો કોંગ્રેસ લારી-ગલ્લા, પાથરણાવાળા, ફેરીયા અને રીક્ષાચાલકો સામુહિક વીમો, માઈક્રો ફાઈનાન્સ તથા ખાસ ઝડપી કોર્ટોનો લાભ લઇ શકશે. પ્લમ્બર, વાયરમેન, સુથાર, લુહાર, ટ્રક અને ટેક્સી ડ્રાયવરોની કળા કેળવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પી.પી.પી.) દ્વારા ખાસ રહેઠાણ યોજનાઓ અમલમાં મુકવામાં આવશે.












Click it and Unblock the Notifications
