ઓબીસી સમાજની સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં 10 ટકા અનામત રદ્દ મામલે કોંગ્રેસનો વોટકાઉટ
ગુજરાત વિધાનસભાની બે દિવયસીય ચોમાસા સત્રના આજના બીજા દિવસે કોંગ્રેસ દ્વારા જાતિ આધારીત વસ્તી ગણતરીની માગં સાથે વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્લેકાર્ડ દેખાડીને ઓબીસી સમાજની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાથી અ
ગુજરાત વિધાનસભાની બે દિવયસીય ચોમાસા સત્રના આજના બીજા દિવસે કોંગ્રેસ દ્વારા જાતિ આધારીત વસ્તી ગણતરીની માગં સાથે વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્લેકાર્ડ દેખાડીને ઓબીસી સમાજની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાથી અનામત નામબુદ કરવામાં આવી હોવાની મુદ્દે ગૃહમાં હંગામો કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્યોએ જાતિ આધારીત વસ્તી ગણતરીની પણ માંગ કરી હતી. કોંગ્રેસના જાતિ આધારીત વસ્તી ગણતરી કરવી પડશે સરકાર એસટી એસસી, ઓબીસી માઇનોરીટી વિરોધી સરકાર હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યુ હતુ કે, સરકાર એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી વિરોધી છે. ઓબીસી સમાજની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે 10 ટકા અનામત હતી તે પણ ખતમ કરી દીધી છે. આયોગ બનાવામાં આવ્યો અને તેમા સમગ્ર રાજ્યના ઓબીસી સમાજ દ્વારા રજૂઆત કરી તેમ છતા સરકારના પેટનું પાણી પણ હતુ નથી.
અમિત ચાવડાએ વધુમાં જણઆવ્યુ હતુ કે, ઓબીસી સમાજને અનામત ના મળે અને તેમનું રાજકીય અસ્તીત્વ ખતમ થઇ જાય એટલા માટે વર્તમાન સરકાર દ્વારા કામતરુ ઘડવામાં આવ્યુ છે. અને ખોટા વસ્તીના આકડા આપવામાં આવી રહ્યા છે. તેના આધારે જો કોઇ નિર્ણય કવરામા આવશે તો તેમને નુક્સાન થશે.
ઓબીસી અને માઇનોરીટી સમાજને યોગ્ય ન્યાય માળે તેના માટે કોઇ પણ પ્રકારના નિર્ણય લેતા પહેલા ગુજરાતમાં જાતી આધારીત વસ્તી ગણતરી થાય તેવી માંગ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ મામલે વિરોધ પક્ષના નેતાએ ચર્ચા કરવા માટે માંગણી કરી હતી પણ આ માગણી ના સંતોષવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરીને સૂત્રોચ્ચાર કરીને ગૃહ ત્યાગ કર્યો હતો.












Click it and Unblock the Notifications
