કોંગ્રેસમાંથી 14 ધારાસભ્યોની હાકલપટ્ટી, જાણો કોણ કોણ?
ગુજરાત કોંગ્રેસ તેના 14 ધારાસભ્યોને પાર્ટી માંથી નીકાળી દીધા. જેમાં શંકરસિંહ વાઘેલા અને તેમનો પુત્ર પણ છે. જાણો અન્ય કયા નેતાઓને પાર્ટીમાંથી નીકાળવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી કોંગ્રેસ પાર્ટીએ ક્રોસ વોટિંગ કરનાર અને પાર્ટીના વ્હિપને અમાન્ય રાખનાર 14 ધારાસભ્યો પણ કાર્યવાહી કરતા તેમને 6 વર્ષ માટે નીકાળી દીધા છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ શંકર સિંહ વાઘેલાનું આવે છે. આમ પણ બાપુને કોંગ્રેસે પહેલા જ જાકારો આપ્યો હતો હવે અધિકૃત રીતે તેમના અને તેમના સમર્થકો પર કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ થયું હતું. પણ તે વખતે આવી કોઇ મોટી કાર્યવાહી કરવામાં નહતી આવી. પણ આ વખતે રાજ્યસભાની ચૂંટણી પતી જતા જ તેમણે આ કાર્યવાહી કરી છે. ત્યારે નીચે વાંચો કયા કયા ધારાસભ્યોને કોંગ્રેસે તેમના પક્ષમાંથી નીકાળી દીધા છે.
- નીચે મુજબ નેતાઓને કોંગ્રેસમાંથી નીકાળવામાં આવ્યા છે.
શંકરસિંહ વાઘેલા - કપડવંજ
મહેન્દ્રસિંહ વાઘેલા (શંકરસિંહના પુત્ર) -બાયડ
અમિત ચૌધરી -માણસા
કરમશી પટેલ- સાણંદના
ભોળા ગોહેલ- જસદણ
રાઘવજી પટેલ- જામનગર ગ્રામ્ય
ધમેન્દ્રસિંહ જાડેજા -જામનગર
સી.કે.રાઉલ- ગોધરા
બલવંતસિંહ રાજપુત- સિધ્ધપુર
પ્રહ્લલાદ પટેલ- વિજાપુર
ર્ડા. તેજશ્રી પટેલ- વિરમગામ
રામસિંહ પરમાર- ઠાસરા
માનસિંહ ચૌહાણ - બાલાસિનોર
છના ચૌધરી- વાંસદા