કોંગ્રેસમાંથી 14 ધારાસભ્યોની હાકલપટ્ટી, જાણો કોણ કોણ?
ગુજરાત કોંગ્રેસ તેના 14 ધારાસભ્યોને પાર્ટી માંથી નીકાળી દીધા. જેમાં શંકરસિંહ વાઘેલા અને તેમનો પુત્ર પણ છે. જાણો અન્ય કયા નેતાઓને પાર્ટીમાંથી નીકાળવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી કોંગ્રેસ પાર્ટીએ ક્રોસ વોટિંગ કરનાર અને પાર્ટીના વ્હિપને અમાન્ય રાખનાર 14 ધારાસભ્યો પણ કાર્યવાહી કરતા તેમને 6 વર્ષ માટે નીકાળી દીધા છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ શંકર સિંહ વાઘેલાનું આવે છે. આમ પણ બાપુને કોંગ્રેસે પહેલા જ જાકારો આપ્યો હતો હવે અધિકૃત રીતે તેમના અને તેમના સમર્થકો પર કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ થયું હતું. પણ તે વખતે આવી કોઇ મોટી કાર્યવાહી કરવામાં નહતી આવી. પણ આ વખતે રાજ્યસભાની ચૂંટણી પતી જતા જ તેમણે આ કાર્યવાહી કરી છે. ત્યારે નીચે વાંચો કયા કયા ધારાસભ્યોને કોંગ્રેસે તેમના પક્ષમાંથી નીકાળી દીધા છે.

- નીચે મુજબ નેતાઓને કોંગ્રેસમાંથી નીકાળવામાં આવ્યા છે.
શંકરસિંહ વાઘેલા - કપડવંજ
મહેન્દ્રસિંહ વાઘેલા (શંકરસિંહના પુત્ર) -બાયડ
અમિત ચૌધરી -માણસા
કરમશી પટેલ- સાણંદના
ભોળા ગોહેલ- જસદણ
રાઘવજી પટેલ- જામનગર ગ્રામ્ય
ધમેન્દ્રસિંહ જાડેજા -જામનગર
સી.કે.રાઉલ- ગોધરા
બલવંતસિંહ રાજપુત- સિધ્ધપુર
પ્રહ્લલાદ પટેલ- વિજાપુર
ર્ડા. તેજશ્રી પટેલ- વિરમગામ
રામસિંહ પરમાર- ઠાસરા
માનસિંહ ચૌહાણ - બાલાસિનોર
છના ચૌધરી- વાંસદા

-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
